પાલિતાણા શેત્રુંજી તળેટીમાં ત્રણ સિંહ દેખાતા, પ્રદક્ષિણા કરતા જૈન શ્રેષ્ઠીઓમાં ચિંતા
પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી […]
પાલિતાણાના શેત્રુજી પર્વતની તળેટીમાં સિહોએ બકરીના કરેલા મારણથી, પર્વતની પ્રદક્ષિણા કરનારાઓમાં ચિંતા પ્રસરી છે. પ્રદક્ષિણા કરવાના માર્ગ ઉપર જ સિહ આવી જતા જૈન સમાજના અગ્રણીઓએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, પાલિતાણા વિસ્તારમાં ત્રણ સિહનો કાયમી વરસાટ છે. જ્યારે પણ ઋતુમાં ફેરફાર થાય ત્યારે આ સિહ પાલિતાણાના પર્વતીય વિસ્તારમાં આવી જતા હોય છે. જો કે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત ચાલતા ફુટ પેટ્રોલિગને કારણે સિહ તળેટીથી ડુંગર ઉપર જતા નથી. આમ છતા સિહોએ તળેટીમા જ કરેલા મારણને કારણે તીર્થયાત્રાએ આવતા જૈન સમાજના લોકોમાં ચિંતા પેઠી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો