Anand: સાંસદે યોજી સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર લોકોને મળે તે માટે અધિકારીઓને સૂચના આપી

|

Jan 19, 2022 | 8:13 AM

સાંસદ મિતેષ પટેલે કોરોનાની પરિસ્‍થિતિને પગલે નાગરિકોને આરોગ્‍યલક્ષી સેવાઓની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ તબીબી સેવાઓ સમયસર મળે તેનું ધ્યાન રાખવા જણાવ્યુ હતું.

Anand: સાંસદે યોજી સમીક્ષા બેઠક, સરકારી યોજનાઓ સમયસર લોકોને મળે તે માટે અધિકારીઓને સૂચના આપી
Development Coordinating and Monitoring Committee meeting In Anand

Follow us on

આણંદ (Anand)માં જિલ્‍લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની વીડિયો કોન્‍ફરન્‍સીંગ (Video conferencing)ના માધ્‍યમથી બેઠક યોજાઇ. જેમાં સાંસદ મિતેષ પટેલે (MP Mitesh Patel) સરકારના તમામ યોજનાકીય લાભો જરૂરિયાતમંદોને સમયસર મળે, તેમજ આ માટે સરકારના નિર્ધારીત લક્ષ્‍યાંકો સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આણંદ કલેકટર કચેરીમાં સાંસદ મિતેષભાઇ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વીડિયો કોન્‍ફરસીંગના માધ્‍યમથી જિલ્‍લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક મળી હતી. મિતેષ પટેલે કેન્‍દ્ર અને રાજય સરકારની પ્રજાકલ્‍યાણની યોજનાઓ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તેની કામગીરી કરવા, તેમજ જે કોઇ કામો બાકી રહ્યા હોય તે કામો ઝડપથી પૂર્ણ કરી યોજનાકીય લાભો જરુરિયાતમંદોને મળતાં થાય તે જોવા પણ સુચવ્‍યું હતું.

બેઠકમાં સાંસદ મિતેષ પટેલે કેન્‍દ્ર-રાજય સરકારની વિવિધ 42 પ્રકારની યોજનાઓની ડિસેમ્બર 2021 સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍વચ્‍છ ભારત મિશન, મનેરગા, મિશન મંગલમ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના, પ્રધાનમંત્રી કૃષિ યોજના, નેશનલ હેલ્‍થ મિશન, બેટી બચાવો – બેટી પઢાઓ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, સાંસદ આદર્શ ગ્રામ જેવી યોજનાઓની કામગીરી કયા તબક્કામાં છે તેમજ ટેન્‍ડરીંગની પ્રક્રિયા પણ સમયસર પૂરી થાય તે જોવા પર ભાર મૂકયો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાંસદ મિતેષ પટેલે કોરોનાની પરિસ્‍થિતિને પગલે નાગરિકોને આરોગ્‍યલક્ષી સેવાઓની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ તબીબી સેવાઓ સમયસર મળે તેનું ધ્યાન રાખવા જણાવ્યુ હતું. સાથે જ જે વયોવૃદ્ધ નાગરિકો રસી લેવા આવી શકતા ન હોય તેમનું ઘરે જઇને રસીકરણ કરાવવા જણાવ્યુ હતુ.

સાંસદ મિતેષ પટેલે વીજ કનેકશન, મમતા કાર્ડની કામગીરીની વિગતવાર છણાવટ કરી હતી. જયારે આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ ગામોમાં તમામ પ્રકારના લાભો પહોંચતા થાય તે જોવા સંબંધિત અધિકારીઓને જણાવ્‍યું હતું.

તો બેઠકમાં ઉપસ્થિતિ જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીએ સાંસદના સૂચનોને ધ્‍યાનમાં રાખી યોગ્‍ય કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી.

આ પણ વાંચોઃ

Bhavnagar: કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો, પણ હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા માત્ર 4 ટકા

આ પણ વાંચોઃ

Gujarat માં કોરોનાના વધતાં કેસો વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગ્રુપ ઓફ ડૉક્ટર્સ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Published On - 7:28 am, Wed, 19 January 22

Next Article