Anand: ગોકુલ ધામ નારનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત, જાણો શું છે સિદ્ધી?

આણંદ જિલ્લાની એક જ દિવસે એક જ સમયે 365 ગામોની 1019 સરકારી શાળાનાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

Anand: ગોકુલ ધામ નારનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત, જાણો શું છે સિદ્ધી?
Distribution of educational kit
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jun 16, 2022 | 7:05 PM

સદ્દવિદ્યા સેવાયજ્ઞ દ્વારા આણંદ જિલ્લાનાં બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

આણંદ (Anand) જિલ્લામાં આવેલાં ગોકુલધામ-નાર દ્વારા સદ્દવિદ્યા સેવાયજ્ઞનાં ભાગરૂપે હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમિનીટી વર્જિનીયા (Virginia) – યુ.એસ.એ. ના આર્થિક સહયોગથી આણંદ જિલ્લાની 365 ગામની 1019 સરકારી પ્રાથમિક શાળા (Primary school) ઓમાં ધોરણ 1 થી 8ના બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું આજરોજ તા.16-06-2022 ના રોજ એક સાથે એક જ સમયે સવારે 9 કલાકે વિતરણ કરવામાં આવ્યું હતું. ગોકુલધામ-નારનાં સ્વપ્ન દ્રષ્ટા સાધુ શુકદેવપ્રસાદ સ્વામી અને સાધુ હરિકેશવ સ્વામીની સંકલ્પનાથી કાર્ય પરિપૂર્ણ કરવામાં આવ્યું છે. ધો 1 થી 8 નાં વિદ્યાર્થીઓને નાસ્તાનાં ડબ્બા, બિસ્કીટ પેકેટ, પેન્સિલ તેમજ નોટો અને ચોપડાનું વિતરણ કરી સદવિદ્યા સેવાયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો છે. આ સાથે એક જ સમયે આટલી મોટી સંખ્યામાં કીટનું વિતરણ કરવા બદલ ગિનિસ બુક (Guinness Book) માં સ્થાન મેળવ્યું છે.

આણંદ જિલ્લાની 1019 શાળાઓમાં ગામનાં અગ્રણી આગેવાનોના વરદ હસ્તે આ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તારાપુર તાલુકાના વિતરણની જવાબદારી ભૂપેન્દ્રભાઇ પટેલે સંભાળી હતી. ગોકુલધામ નારના હરિકૃષ્ણ સ્વામીએ તારાપુરની કુમાર શાળા અને બોરસદની શાળામાં વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. જનમંગલ સ્વામી તેમજ પરેશભાઇ ધરજીયાએ રૂણજ ગામની પ્રાથમિક શાળામાં, તપોમૂર્તિ મોહન સ્વામીજીએ તેમજ ભાવસર સાહેબ-પ્રિન્સિપાલ રામોદડીની પ્રા. શાળામાં, તેમજ પંડોળીની પ્રા.શાળામાં ચિરાગભાઇ અને બાંધણી ગામે રઢુપુરા પ્રા.શાળામાં મનુભાઇ રાઠોડ અને જૈમીનભાઇ પટેલે હાજરી આપી ગોકુલધામ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિનો વિશેષ પરિચય આપ્યો હતો. જિલ્લાની તમામ 1019 શાળાઓના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને એક જ દિવસે એક સમયે શૈક્ષણિક કીટનું વિતરણ કરી ગોકુલધામ-નાર દ્વારા સદવિદ્યા સેવાયજ્ઞ સાથે વિશ્વ વિક્રમ આ અનોખી સેવાને પ્રાપ્ત થશે.

આણંદ જિલ્લાની એક જ દિવસે એક જ સમયે 365 ગામોની 1019 સરકારી શાળાનાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગત સોમવારથી રાજ્યની તમામ સ્કૂલો ખૂલી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે નાસ્તાનાં ડબ્બા, બિસ્કીટ પેકેટ, પેન્સિલ તેમજ નોટો અને ચોપડા સૌથી મહત્ત્વના હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લાની સ્કૂલોમાં તેનું વિતરણ કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કઈ કઈ વસ્તુઓનું વિતરણ કરાયું?

  • નોટબુક અને ચોપડા-4,32,212
  • લંચ બોક્સ-55,207
  • પેન્સિલ-2,00,862
  • બિસ્કિટ પેકેટ-2,00,862

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">