AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: જિલ્લા કલેક્ટરે કોવિડ-19ની સમીક્ષા કરી કોમોર્બિડ લોકોને ભીડથી દૂર રહેવા કર્યું સૂચન

કલેક્ટરએ જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તેમજ ઓક્સીજનના બોટલની વ્યવસ્થાઓ રાખવા તેમજ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ની પૂર્વ તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવા જણાવ્યુ હતું.

Anand: જિલ્લા કલેક્ટરે કોવિડ-19ની સમીક્ષા કરી કોમોર્બિડ લોકોને ભીડથી દૂર રહેવા કર્યું સૂચન
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Apr 05, 2023 | 9:36 PM
Share

આણંદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કોવિડ-19 સામે સાવચેતી અંગે બેઠક યોજાઇ હતી. આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લાના કોવિડ-19ના કેસોમાં નોંધપાત્ર વધારાને ધ્યાને લઈ આણંદ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઇ હતી.

જિલ્લામાં કોવિડની કરી સમીક્ષા

જિલ્લા ક્લેક્ટર ડી.એસ.ગઢવી એ જિલ્લામાં કોવિડ-19ની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી જિલ્લા આરોગ્ય તંત્રને કોવિડ-૧૯ને અટકાવવા તેમજ તે અંગે સાવચેતીના પગલા લેવા જરૂરી સૂચનો આપ્યા હતા.

સાવચેતી રાખવા માટે આપ્યા સૂચનો

કલેક્ટરએ જિલ્લામાં આવેલ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તેમજ ઓક્સીજનના બોટલની વ્યવસ્થાઓ રાખવા તેમજ તમામ હોસ્પિટલોમાં કોવિડ-19ની પૂર્વ તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવા જણાવ્યુ હતું.

આજે ગુજરાતમાં કોરોનાના  351 કેસ નોંધાયા છે

ગુજરાતમાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે. જેમાં 05 એપ્રિલના રોજ કોરોનાના નવા 351 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2176એ પહોંચી છે.

અમદાવાદમાં 88, મોરબીમાં 35, સુરતમાં 30, વડોદરામાં 27, ગાંધીનગર જિલ્લામાં 23, મહેસાણામાં 22, સાબરકાંઠામાં 19, વડોદરામાં 15, રાજકોટ જિલ્લામાં 12, બનાસકાંઠામાં 10, કચ્છમાં 09, ભરૂચમાં 08, સુરત જિલ્લામાં 08, રાજકોટમાં 06, ગાંધીનગરમાં 05, અમદાવાદમાં જિલ્લામાં 04, પંચમહાલમાં 04, સુરેન્દ્રનગરમાં 04, વલસાડમાં 04, નવસારીમાં 03, અમરેલીમાં 02, આણંદમાં 02, અરવલ્લીમાં 02, ભાવનગરમાં 02, ખેડામાં 02, પોરબંદરમાં 02, ગીર સોમનાથમાં 01 અને  જામનગરમાં 01 કેસ નોંધાયો છે.

ગાંધીનગર જિલ્લાના 10 આરોગ્ય કેન્દ્રના 55 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી

ગુજરાતમાં પણ કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં ગાંધીનગર જિલ્લાના 10 આરોગ્ય કેન્દ્રના 55 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સામુહિક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કર્મચારીઓની અનિયમિતાની ફરિયાદના પગલે આરોગ્ય કર્મચારીઓને નોટીસ આપવામાં આવી છે. જેમાં અધિક્ષક, સ્પેસ્યાલિસ્ટ, મેડિકલ ઓફીસર સહિત અન્ય કર્મીઓને નોટીસ આપી અનિયમીતતા અંગે ખુલાસો માગ્યો છે.

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
નાણાકીય લાભ થવાની શક્યતા છે, સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું રહેશે
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
g clip-path="url(#clip0_868_265)">