Gujarati NewsGujaratAnaand youths write song in pm modi biopic controversy erupts after his name is not mentioned
વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મનું ગીત આણંદના યુવા કવિએ લખ્યું હોવા છતાં અન્ય કવિનું નામ જાહેર કરતા થયો વિવાદ
વર્ષ 2014માં આણંદના એક યુવક દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક કવિતા લખી અર્પણ કરવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી દ્વારા કવિને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જો કે આણંદના કવિ દ્નારા લખવામાં આવેલુ ગીત વિવાદમાં આવ્યુ છે. આણંદમાં રહેતા કુલદીપસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા વિષયો પર કવિતા લખે છે. વર્ષ 2014માં […]
વર્ષ 2014માં આણંદના એક યુવક દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક કવિતા લખી અર્પણ કરવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી દ્વારા કવિને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જો કે આણંદના કવિ દ્નારા લખવામાં આવેલુ ગીત વિવાદમાં આવ્યુ છે.
આણંદમાં રહેતા કુલદીપસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા વિષયો પર કવિતા લખે છે. વર્ષ 2014માં કુલદીપસિંહ જાડેજા દ્વારા નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રેરાઈને “સોગંધ મુજે ઇસ મીટ્ટી કી “નામનું ગીત લખવામાં આવ્યું હતું અને આ ગીત નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવ્યુ હતું.
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
નરેન્દ્ર મોદી દ્વારા ગીતના વખાણ કરવામાં આવ્યા હતા અને આટલી સુંદર કાવ્ય રચના બદલ કુલદીપસિંહને એક પત્ર પણ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવ્યો હતો. ગઈકાલે કુલદીપસિંહ જાડેજા દ્વારા લખવામાં આવેલા ગીતનો ઉપયોગ નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકમાં કરવામાં આવ્યો છે અને એક ગીત પણ ગઈકાલે યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે.
#Gujarat: A poet from #Anand claims that song from film 'Narendra Modi' titled 'Saugandh Mujhe Iss Mitti Ki' is written by him;although no credit is given yet to him#TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २३ मार्च, २०१९
જો કે ‘સોગંધ મુજે ઇસ મીટ્ટી કી’ના મૂળ રચાયિતા કુલદીપસિંહને બદલે પ્રસુન જોષીનું નામ લખવામાં આવતા મૂળ રચયિતા કુલદીપસિંહ નારાજ થઇ ગયા છે અને આગામી દિવસોમાં તેમના દ્રારા કોઈ જ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે નહી પણ સમગ્ર મામલાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવશે.