AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન

રાજુલા તાલુકાના દરિયા કાંઠેથી અડધો કિલોમીટર દૂર આવેલ કોવાયા ગામમાં વર્ષોથી બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતને મોટાભાગની કેળ પડી જવાના કારણે ભારે નુકસાન આવ્યું છે કચ્છની સાથે અહીં કોવાયા ગામમાં રાજય સરકાર સર્વે કરી ખેડૂતો એ ફરી સહાય કરી મદદ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે

Amreli : Cyclone Biparjoy ના લીધે કોવાયા ગામે બાગાયતી પાકને ભારે નુકસાન
Amreli Crop Damage
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 10:09 PM
Share

Cyclone Biparjoy ના કારણે કચ્છ સહિત સૌરાષ્ટ્રના દરિયા-કાંઠાના વિસ્તારમાં નુકસાન થયું છે ત્યારે અમરેલી (Amreli) જિલ્લાના દરિયા કાંઠે આવેલ કોવાયા ગામના 1 ખેડૂતની 31 વિઘા જમીનમાં બાગાયતી પાકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે મોટાભાગની કેળ પડી જતા ખેડૂત ઉપર આભ ફાટયા જેવી સ્થિતિ સર્જાતા સરકારની મદદની માંગ ઉઠાવી છે

સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં Cyclone Biparjoy ના કારણે અનેક વિસ્તારમાં ભારે પવન વરસાદ પડવાના કારણે નુકસાન ગયું છે ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના કોવાયા ગામ દરિયા કાંઠે આવેલુ આ ગામ છે અહીં ભીખાભાઇ લાખણોત્રા એ તાઉતે વાવાઝોડાની તબાહી બાદ ફરી બાગાયતી ખેતી માન્ડ માન્ડ ઉભી કરી હતી અને બાગાયતી પાક માર્કેતમાં વહેચે તે પહેલાં આ બીપરજોઈ વાવાઝોડાના પવનના કારણે 31 વિઘામાં કચ્ચરઘાણ નીકળી ગયો છે.

કુદરતી આફતના કારણે ધરતી પુત્ર બે હાલ થયો છે જોકે ધરતી પુત્ર અને તેમના પરિવર દ્વારા કરાયેલી મહેનત બાદ કેળ ઉભી કરી હતી પરંતુ વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા મોટાભાગની 15000 ઉપરાંત કેળ ઉખડી જતા નીચે પડી જતા વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ખેડૂતના કહેવા પ્રમાણે તમામ પાક ડેમેજ થયો અને તાઉતે વાવાઝોડા બાદ માન્ડ ઉભું કર્યું હતું ત્યાં આ વાવાઝોડાના કારણે બધું પડી જતા ભારે નુકસાન ગયું છે સરકાર ખેડૂતોની મદદ કરશે તો જ ફરી ખેડુતો ઉભા થશે

રાજુલા તાલુકાના દરિયા કાંઠેથી અડધો કિલોમીટર દૂર આવેલ કોવાયા ગામમાં વર્ષોથી બાગાયતી ખેતી ખેડૂતો કરી રહ્યા છે તેવા સમયે ખેડૂતને મોટાભાગની કેળ પડી જવાના કારણે ભારે નુકસાન આવ્યું છે કચ્છની સાથે અહીં કોવાયા ગામમાં રાજય સરકાર સર્વે કરી ખેડૂતો એ ફરી સહાય કરી મદદ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે હાલ તો બાગાયતી પાકમાં આવતી કેળ જડમૂળથી નાશ થયો છે જેના કારણે ફરી તેમને ઉભી કરવી એક પડકાર જનક સવાલ ઉભો થયો છે

તાઉતે વાવાઝોડા સમયે અહીં કોવાયા સહિત આસપાસના ગામડાઓની સ્થિતિ અતિ ખરાબ બની હતી મકાનો પડી ગયા હતા અને ખેતીનો સંપૂર્ણ નાશ થવાના કારણે વ્યાપક નુકસાન ગયું હતું તાઉતે વાવાઝોડા બાદ ખેડૂતએ પોતાની રાત દિવસ મહેનત કરી ઉભી કરેલી તમામ કેળ પડી જતા હાલ તો સૌવથી મોટી ખેડૂત ઉપર કુદરતી આફત આવી છે રાજય સરકાર કચ્છ સાથે આ કોવાયા ગામને મદદ કરશે કે કેમ ? તે તો આવનારો સમયજ બતાવશે.

(With Input, Jaydev Kathi, Amreli) 

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">