ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યો છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે.
અમિત શાહનું નિવેદન
અમિત શાહે મંદિરના શિલાન્યાસ પ્રસંગમાં સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે પાટીદાર સમાજે ખૂબ પરિશ્રમ કર્યો છે, જ્યારે ગુજરાતની ગાથા લખાશે તો પાટીદાર સમાજનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. વેપાર, શિક્ષણ અને વિકાસના કામો પાટીદાર સમાજે કર્યા છે. તેમણે જણાવ્યુ કે મંદિરો માત્ર ધર્મના જ નહીં પરંતુ સમાજ સેવાના કેન્દ્રો છે. પાટીદાર સમાજે આવા અનેક સેવાના કાર્યો કર્યા છે. તેમણે જણાવ્યુ કે અન્ય સમાજોએ પાટીદાર સમાજમાંથી શીખ લેવા જેવી છે.
મહત્વનું છે કે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યાં. આ ઉપરાંત બીજા પણ અનેક મહાનુભાવો આ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત છે.
આ પણ વાંચોઃ Viral: કાર ધોઈ રહેલા ચિંપાન્ઝીનો Video વાયરલ, લોકોએ કહ્યું ‘આવી હોય છે ફ્રી માં કાર વોશિંગ’
Published On - 1:46 pm, Sat, 11 December 21