અમદાવાદમાં માસ્કના દંડ મામલે પોલીસ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે. કાલુપુર બાદ ખાડીયા પોલીસ દ્વારા માસ્ક બાબતે વેપારીને માર મારવાની ઘટના બની છે. શનિવારના રોજ સારંગપુર ફુટવેર બજારમાં એક દુકાનમાં માસ્ક ન પહેરવા બાબતે પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસ ચાર લોકોને પોલીસ સ્ટેશને લઇ જઇને ઢોરમાર માર્યો હોવાના વેપારીએ આક્ષેપ કર્યો છે. પોલીસના વેપારી સાથેના આ ગેરવર્તનના વિરોધમાં આજરોજ સારંગપુર ફુટવેર બજારમાં 250થી વધુ દુકાનોએ સ્વંયભૂ બંધ પાળ્યો હતો. આ બંધને પગલે ઉચ્ચ અધિકારીઓ વેપારીઓને સમજાવવા દોડી આવ્યા હતા અને વેપારીઓને બાહેંધરી અપાઇ હતી કે જવાબદાર પોલીસકર્મી સાથે તપાસ થશે. બાદમાં મામલો શાંત થયો હતો.
આ પણ વાંચો: જો તમે ઘરે બેઠા કામ કરવા માગો છો, તો જાણો કેટલો મળશે પગાર, અહીં ક્લિક કરો અને જાણો બધી વિગત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો