આજે વિશ્વ હવામાન દિવસ (World Weather Day) છે જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં હવામાન વિભાગની ઓફીસ પર પણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હવામાન દિવસના બેનર્સ લગાવીને હવામાન વિભાગની કચેરીએ ઉજવણી કરાઈ. જો કે આ સાથે હવામાન વિભાગના (Meteorological Department)અધિકારીઓએ ક્લાઈમેટ ચેન્જ (Climate change)ને લઈને ચિંતા પણ વ્યક્ત કરી.
આજના સમયમાં યોગ્ય હવામાન તે સમયની માગ છે. જોકે સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. જેની સીધી અસર લોકોના જીવન પર પડી રહી છે. કેમ કે હાલમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનિયમિત થઈ ગઈ છે. ક્યારેક પુષ્કળ ઠંડીની ઋતુ હોય છે, તો ક્યારેક બીલકુલ ઠંડી જ નહીં. ક્યારેક પુષ્કળ પ્રમાણમાં ગરમી પડે છે કે જેનાથી મોત પણ નીપજે છે. વાવાઝોડાની પણ સંખ્યામાં વધારો થયો છે. જેનું એક માત્ર કારણ છે કલાઈમેટ ચેન્જ. જેના કારણે હાલમાં લોકોને અતિવૃષ્ટિ, હીટવેવ અને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.
ક્લાઈમેટ ચેન્જ એ આજના સમયે ઋતુ પરિવર્તિત કરી રહ્યું છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી.
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહંતીનું કહેવું છે કે હાલના સમયમાં શહેરીકરણ, લોકોની વધતી વસ્તી અને લોકો દ્વારા ઉપયોગ કરવામા આવતા વાહનોના પ્રદૂષણના કારણે હવામાનમાં ફેરફાર આવ્યાનું અધિકારી માની રહ્યા છે. જેની પાછળ અધિકારીએ લોકોને જવાબદાર ઠેરવી જાગૃત બનવા અપીલ કરી છે. જેથી ક્લાઈમેટ ચેન્જને રોકી હવામાન સ્થિર કરી શકાય. જેના કારણે હવામાન વિભાગે આ વર્ષે પ્રારંભિક વોર્નિંગ અને એક્શન થીમ પર ઉજવણી કરી. જેથી લોકોને હાલના બદલાતા વાતાવરણ અને ક્લાઈમેટ ચેન્જથી અવગત કરાવી શકાય.
મહ્ત્વનું છે કે છેલ્લા 5 વર્ષમાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે 15 વર્ષ પહેલાં હવામાન વિભાગને સચોટ આગાહી કરવામાં હાલાકી પડતી હતી. જોકે જ્યારથી હવામાન વિભાગમાં કોમ્પ્યુટર સહિત આધુનિક સાધનો આવ્યા છે. ત્યારથી હવામાન વિભાગને આગાહી કરવામાં સરળતા સર્જાઈ છે અને એટલી સરળતા કે હવામાન વિભાગ હાલમાં કયા વરસાદ પડી રહ્યો છે તેની આગાહી પણ કરી શકે છે. તેમજ આગામી 10 દિવસ પહેલા કે મહિના પહેલા હવામાન કેવું રહેશે તે પણ હવામાન વિભાગ જાણી તેની પણ આગાહી કરી શકે છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-