AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જાણો કઈ કઈ તારીખે કરી શકાશે મુસાફરી

દર સોમવારે અમદાવાદથી સવારે  ઉપડશે અને મંગળવારે રાત્રે પટના પહોંચશે. પટનાથી રાત્રે જ રીટર્ન થશે અને ગુરુવારે બપોરે અમદાવાદ પહોંચશે.

Ahmedabad: પશ્ચિમ રેલવે અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે, જાણો કઈ કઈ તારીખે કરી શકાશે મુસાફરી
Symbolic image
Darshal Raval
| Edited By: | Updated on: May 13, 2022 | 4:35 PM
Share

મુસાફરો (Passenger) ની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા અમદાવાદ અને પટના વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે (railway)ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ આ વિશેષ ટ્રેન અઠવાડિયામાં એક વખત ટ્રીપ કરશે. દર સોમવારે અમદાવાદથી સવારે  ઉપડશે અને મંગળવારે રાત્રે પટના પહોંચશે. પટનાથી રાત્રે જ રીટર્ન થશે અને ગુરુવારે બપોરે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષ ટ્રેન 14 ફેરા કરશે.

ટ્રેન નંબર 09417 અમદાવાદ – પટના સ્પેશિયલ અમદાવાદથી દર સોમવારે 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.00 કલાકે પટના પહોંચશે. આ ટ્રેન 16 મે થી 27 જૂન 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ દર મંગળવારે પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે. આમ બંને દિશામાં દોડશે. આ ટ્રેન 18 મે થી 29 જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીન દયાલ ઉપાધ્યાય,  બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09417 માટે બુકિંગ 12મી મે, 2022થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર દોડશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ઐ ઉપરાંત રેલવે વિભાગ કોરોના બાબતે પણ એક્શનમાં આવ્યું છે. અને ટ્રાવેલિંગ દરમિયાન કોરોના કેસ વધે નહિ તે માટે સુરક્ષાના ભાગ રૂપે પહેલાની જેમ મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. 9 મેના રોજ રેલવે મિનિસ્ટ્રી એ આ પરિપત્ર જાહેર કર્યો હતો જોકે તેને બે દિવસ વીતી ગયા છતાં તેનું પાલન રેલવે સ્ટેશન પર થતું ન હોવાનું સામે આવ્યું. કેમ કે રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે સ્ટાફ પણ માસ્ક વગર ફરતા દેખાયા. જેમને હાલમાં પડતી ગરમીના કારણે માસ્ક નથી પહેરી રહ્યા કે પછી માસ્ક ભૂલી ગયાના કારણ આગળ ધરી દીધા. જે તંત્ર અને લોકોની ઘોર બેદરકારી કહી શકાય.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">