કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે 4 વાગ્યે પહોંચશે અમદાવાદ, શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી

|

Dec 15, 2022 | 12:54 PM

15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. અહીં વિશાળ સંખ્યામાં BAPSના સ્વયંસેવકો સેવારત છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે 4 વાગ્યે પહોંચશે અમદાવાદ, શતાબ્દી મહોત્સવમાં આપશે હાજરી
Amit shah will come in Shatabdi Mahotsav today

Follow us on

ગત રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સાંજે આ મહોત્સવમાં સહભાગી થશે. તેઓ આજે સાંજે 4 કલાકે અમદાવાદ આવી પહોચશે અને ત્યાર બાદ તેઓ શતાબ્દી મહોત્સવમાં પહોચશે.

પીએમ મોદીએ  ઉદ્ધાટનમાં પ્રમુખ સ્વામી સાથેના સંસ્મરણો વહેંચ્યા હતા

વડાપ્રધાને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તમારામાંથી કદાચ અનેક લોકોને ખબર હશે કે યુ.એન.માં પણ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો છે. આ પુરાવો છે એ વાતનો કે તેમના વિચારો કેટલા શાશ્વત અને કેટલા સાર્વભૌમી છે. આપણી મહાન પરંપરા સંતો દ્વારા પ્રસ્થાપિત વેદથી વિવેકાનંદ સુધી જે ધારાને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોએ આગળ વધારી તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના આજે શતાબ્દી સમારોહમાં દર્શન થઈ રહ્યા છે.

ગત રોજ શાસ્ત્રોક્ત વિધી સાથે બીએપીએસના  છઠ્ઠા આધ્યાત્મિક ગુરૂ મહંત સ્વામી તેમજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ આ મહોત્સવનું ઉદ્ધાટન કર્યું હતું. એક મહિના સુધી 15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. અહીં વિશાળ સંખ્યામાં BAPSના સ્વયંસેવકો સેવારત છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અમદાવાદના વિવિધ સ્થળેથી ત્યાં કેવી રીતે પહોંચી શકાશે તેની વિગતો બીએપીએસ સંસ્થા દ્વારા પણ આપવામાં આવી છે. જેમાં પ્રાઇવેટ વાહનો દ્વારા આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ માટે પાર્કિંગ અને પ્રવેશ તેમજ સિટી બસ દ્વારા આવતા વાહનો માટેની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સંસ્થા દ્વારા એક વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે  સાથે જ psm100  Nagar નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ  એપ્લિકેશનના  માર્ગદર્શન દ્વારા દર્શનાર્થીઓ તેમજ  મુલાકાતીઓ મહોત્સવ સ્થળ સુધી સીધા જ પહોંચી શકશે.

ઉલ્લેખનીય છે કે  પ્રમુખ સ્વામી મહારાજનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. જેમાં દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટુ હિન્દુ મંદિર અક્ષરધામ અને 5 મહાદ્વીપોમાં 1971થી લઈ 2007 સુધી 713 મંદિર બનાવવાનો રેકોર્ડ મુખ્ય છે. તે સિવાય લંડનમાં 1.5 એકર જમીન પર સ્થાપિત હિન્દુ મંદિર, જે ભારતની બહાર સૌથી મોટુ મંદિર હોવાનો રેકોર્ડ પણ છે.

Next Article