Ahmedabad માં ઉત્સાહપૂર્ણ રીતે નીકળ્યા તાજીયા જુલૂસ,જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું

|

Aug 09, 2022 | 8:52 PM

દેશભરમાં મુસ્લિમ ધર્મના તહેવાર મોહરમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ ખાતે પણ આ તહેવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના પ્રતીક તાજીયા જુલૂસને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું હતું

Ahmedabad માં ઉત્સાહપૂર્ણ રીતે નીકળ્યા તાજીયા જુલૂસ,જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું
Ahmedabad Tajiya

Follow us on

આજે દેશભરમાં મુસ્લિમ ધર્મના તહેવાર મોહરમની(Muharram)  ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદ(Ahmedabad) ખાતે પણ આ તહેવારને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોમી એકતાના પ્રતીક તાજીયા (Tajiya) જુલૂસને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના અન્ય ટ્રસ્ટીઓ સાથે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને સેકટર ૧ – આર વી અસારી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના એડિશનલ કમિશનર પ્રેમવીર સિંહ તથા ધારાસભ્ય ઇમરાન ખેડા વાલા અને હિંમતસિંહ પટેલની સાથે સાથે અમદાવાદ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ ની સાથે સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ બક્ષી એ હાજરી આપી હતી.

પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

આજે મુસ્લિમ ધર્મના દોહિત્ર ઇમામ હુસેનની શહાદતનો દિવસ અને અમદાવાદ શહેરમાં પણ આ દિવસ એટલે કે મોહરમની ઉજવણી કરવામાં આવી કે જ્યાં અમદાવાદ શહેરમાં મુસ્લિમ ધર્મના લોકો વિવિધ તાજીયા અને જુલૂસ નિકાળયા હતા. આ સમગ્ર તાજીયા અને જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા.જેમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

કોરોના કારણે આખરે 2 વર્ષ પછી તાજિયા જૂલુસમાં નીકળ્યું

મોહરમનાં તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પરેશન દ્વારા વિશાળ ડોમ પણ સીદી સૈયદની જાળી પાસે તૈયાર કરવામાં આવ્યો હતી કે જ્યાં મહંત દિલીપ દાસજી મહારાજ અને અન્ય આગેવાનો એ તાજીયાનું સ્વાગત કરી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. કોરોના કારણે આખરે 2 વર્ષ પછી તાજિયા જૂલુસમાં નીકળ્યું છે. જેમાં આ વખતે 93 તાજિયા, 24 અખાડા, 78 ઢોલ તાસા, છૈય્યમ પાર્ટીઓ, 20 લાઉડ સ્પીકર, 24 ટ્રક અને 10 મિની ટ્રક ઉપરાંત ઊંટ ગાડી સામેલ થયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મુસ્લિમ ધર્મમાં મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ

મુસ્લિમ ધર્મમાં મોહરમના દિવસે તાજીયા કાઢવાનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા મુજબ શિયા મુસ્લિમો તાજીયા દ્વારા પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. મોહરમના દસ દિવસ સુધી વાંસ, લાકડી અને અન્ય સજાવટના સામાનથી તેને સજાવવામાં આવે છે અને 11માં દિવસે તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ રસ્તાઓ પર ફેરવવામાં આવે છે.  એક રીતે 60હિજરીમાં શહીદ થયેલા લોકોને આ પ્રકારે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

Next Article