AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં અન્ય રોગચાળા સાથે સ્વાઇન ફ્લૂનો પણ કહેર, ઓગસ્ટમાં 9 દિવસમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા

અમદાવાદ (Ahmedabad) શહેરમાં સ્વાઈન ફલૂનો (Swine flu) કહેર ફેલાયો છે. ઓગસ્ટમા 9 દિવસમાં જ અમદાવાદમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે. પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે.

અમદાવાદમાં અન્ય રોગચાળા સાથે સ્વાઇન ફ્લૂનો પણ કહેર, ઓગસ્ટમાં 9 દિવસમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા
અમદાવાદમાં વધી રહ્યા છે સ્વાઇન ફ્લૂના કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 9:43 AM
Share

ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં જુદા જુદા રોગચાળાએ જાણે માઝા મુકી છે. એક તરફ કોરોના (Corona) મહામારીમાંથી હજુ તો માંડ થોડી રાહત મળી છે. ત્યાં હવે બીજી મંકી પોક્સ અને લમ્પી વાયરસ જેવા રોગો પણ ફેલાયા છે. ત્યારે અન્ય રોગચાળા સાથે ગુજરાતમાં હવે સ્વાઇન ફ્લૂએ (Swine flu) ચિંતા વધારી છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં અન્ય રોગચાળા સાથે સ્વાઈન ફલૂના કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ઓગસ્ટ માસના 9 દિવસમાં જ સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયુ છે.

9 દિવસમાં જ અમદાવાદમાં સ્વાઈન ફલૂના 171 કેસ

અમદાવાદ શહેરમાં સ્વાઈન ફલૂનો કહેર ફેલાયો છે. ઓગસ્ટ માસના 9 દિવસમાં જ અમદાવાદમાં સ્વાઈન ફલૂના 171 કેસ નોંધાયા છે. પાલડી, નવરંગપુરા, બોડકદેવ અને જોધપુર વોર્ડમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલોમાં 90થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભારે ધસારો છે. તો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂથી બેના મોત થયા હતા. સ્વાઇન ફ્લૂના પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે.

મચ્છરજન્ય રોગચાળો ફેલાયો

અમદાવાદમાં ચોમાસામાં વાઈરલ ઈન્ફેકશનના કેસ પણ વધ્યા છે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયેલા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર સપ્તાહે 1,100 કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસના 10 દિવસમાં 21 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. બાળકોમાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ અને વાઈરલ ઈન્ફેકશનના કેસ નોંધાઇ રહ્યા છે.

સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો

સ્વાઈન ફ્લૂ એ ડુક્કર દ્વારા ફેલાતો ચેપી રોગ છે. સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ રોગ ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસ દરમિયાન છોડવામાં આવતા ટીપાઓ દ્વારા તેમજ ચેપગ્રસ્ત સપાટીના સંપર્ક દ્વારા ફેલાય છે. તેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો જેવા જ છે. આ વાઇરસ તમારા નાક, ગળા અને ફેફસાંને લાઇન કરતા કોષોને ચેપ લગાડે છે. આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળા અને ચોમાસાના મહિનામાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">