AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેવડી ઋતુના પગલે ગુજરાતમાં વકર્યો રોગચાળો, અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા

રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે. હવે તાપમાનમાં અચાનક વધારો થઇ રહ્યો છે, ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે.

બેવડી ઋતુના પગલે ગુજરાતમાં વકર્યો રોગચાળો, અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા
રાજકોટ અને અમદાવાદમાં રોગચાળો વકર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 9:36 AM
Share

ગુજરાતમાં શિયાળો હવે વિદાય લેવા તરફ છે. ત્યારે હવે ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો નોંધાતો જઇ રહ્યો છે. રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે. હવે તાપમાનમાં અચાનક વધારો થઇ રહ્યો છે, ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ, ઝાડા-ઉલ્ટી, શરદી ઉદરસ અને ટાઇફોડના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો રાજકોટમાં પણ શરદી-ઉદરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે રોગચાળો કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.

અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ

અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેના પગલે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ નોંધાયો છે. તો બીજી તરફ ઝાડા-ઉલટીના 47 અને ટાઈફોઈડના 32 દર્દી નોંધાયા છે. વસ્ત્રાલના મહાદેવનગર ખાતે કોલેરાનો કેસ પણ સામે આવ્યો છે. બેવડી ઋતુના કારણે ખાનગી, સિવિલ હોસ્પિટલમાં દર્દી વધ્યા છે. શરદી, ઉધરસ, વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. અલગ અલગ પ્રકારના રોગો ફેલાતા આરોગ્ય વિભાગ ચિંતામાં આવ્યુ છે અને રોગચાળા પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી છે.

રાજકોટમાં પણ વાયરલ રોગચાળો વકર્યો

આ તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળામાં વધારો નોંધાયો છે. એક અઠવાડિયામાં વાયરલના 614 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુના બે, શરદી, ઉધરસ અને તાવ સહિતના 614થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. મેલેરીયા અને ચીકન ગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સાથે જ સિઝનલ રોગચાળાના દર્દીઓમાં વધારો થયો છે. આ અઠવાડીયામાં શરદી-ઉધરસના કેસની સંખ્યા વધીને 481 પાર પહોંચી છે. જયારે ખોરાકજન્ય અને પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના 83 દર્દી નોંધાયા છે. આ સપ્તાહમાં તાવના પણ વધુ 47 દર્દી ચોપડે ચડયા છે. આગામી સપ્તાહમાં હજુ વાયરલ રોગચાળાના કેસમાં વધારો થઈ શકે છે તેવો આરોગ્ય અધિકારીનો દાવો છે.

તો વાયરલ રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર સતર્ક થયું છે. રાજકોટ શહેરના પછાત વિસ્તારમાં પત્રીકા વિતરણથી માંડી ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. મચ્છરજન્ય કેસ જે વિસ્તારમાંથી જોવા મળે ત્યાં આસપાસના લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતા. બેદરકારી દાખવા બદલ 258 રહેણાંક અને બિનરહેણાંક માલીકોને નોટિસ ફટકારી હતી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">