Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેવડી ઋતુના પગલે ગુજરાતમાં વકર્યો રોગચાળો, અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા

રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે. હવે તાપમાનમાં અચાનક વધારો થઇ રહ્યો છે, ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે.

બેવડી ઋતુના પગલે ગુજરાતમાં વકર્યો રોગચાળો, અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા
રાજકોટ અને અમદાવાદમાં રોગચાળો વકર્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 9:36 AM

ગુજરાતમાં શિયાળો હવે વિદાય લેવા તરફ છે. ત્યારે હવે ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો નોંધાતો જઇ રહ્યો છે. રાજ્યમાં હાલ એવી ઋતુ ચાલી રહી છે જેમાં વહેલી સવારે કે રાત્રે બહાર નીકળો તો ઠંડી લાગે અને બપોરના સમયે નીકળો તો ગરમી લાગે. હવે તાપમાનમાં અચાનક વધારો થઇ રહ્યો છે, ત્યારે ઋતુચક્રમાં થયેલા આ ફેરફારને કારણે રોગચાળો વકરી રહ્યો છે. લોકો વાયરલ ઈન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. જેને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ, ઝાડા-ઉલ્ટી, શરદી ઉદરસ અને ટાઇફોડના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો રાજકોટમાં પણ શરદી-ઉદરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે રોગચાળો કાબુમાં લેવા કામગીરી હાથ ધરી છે.

અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ

અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેના પગલે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં 4 દિવસમાં સ્વાઈન ફ્લૂના 29 કેસ નોંધાયો છે. તો બીજી તરફ ઝાડા-ઉલટીના 47 અને ટાઈફોઈડના 32 દર્દી નોંધાયા છે. વસ્ત્રાલના મહાદેવનગર ખાતે કોલેરાનો કેસ પણ સામે આવ્યો છે. બેવડી ઋતુના કારણે ખાનગી, સિવિલ હોસ્પિટલમાં દર્દી વધ્યા છે. શરદી, ઉધરસ, વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. અલગ અલગ પ્રકારના રોગો ફેલાતા આરોગ્ય વિભાગ ચિંતામાં આવ્યુ છે અને રોગચાળા પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી છે.

રાજકોટમાં પણ વાયરલ રોગચાળો વકર્યો

આ તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળામાં વધારો નોંધાયો છે. એક અઠવાડિયામાં વાયરલના 614 કેસ સામે આવ્યા છે. ડેન્ગ્યુના બે, શરદી, ઉધરસ અને તાવ સહિતના 614થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા છે. મેલેરીયા અને ચીકન ગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સાથે જ સિઝનલ રોગચાળાના દર્દીઓમાં વધારો થયો છે. આ અઠવાડીયામાં શરદી-ઉધરસના કેસની સંખ્યા વધીને 481 પાર પહોંચી છે. જયારે ખોરાકજન્ય અને પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના 83 દર્દી નોંધાયા છે. આ સપ્તાહમાં તાવના પણ વધુ 47 દર્દી ચોપડે ચડયા છે. આગામી સપ્તાહમાં હજુ વાયરલ રોગચાળાના કેસમાં વધારો થઈ શકે છે તેવો આરોગ્ય અધિકારીનો દાવો છે.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

તો વાયરલ રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર સતર્ક થયું છે. રાજકોટ શહેરના પછાત વિસ્તારમાં પત્રીકા વિતરણથી માંડી ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે. મચ્છરજન્ય કેસ જે વિસ્તારમાંથી જોવા મળે ત્યાં આસપાસના લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતા. બેદરકારી દાખવા બદલ 258 રહેણાંક અને બિનરહેણાંક માલીકોને નોટિસ ફટકારી હતી.

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">