AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news: વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેએ 23.23 કરોડનો દડં વસૂલ્યો

ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરીના 47258 કેસ, બુક વગર ના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.

Railway news: વિના ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેએ 23.23 કરોડનો દડં વસૂલ્યો
Indian Railway
Darshal Raval
| Edited By: | Updated on: Feb 10, 2023 | 10:21 AM
Share

અમદાવાદ રેલવે મંડળે એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 સુધી સઘન ટિકિટ ચકાસણી કામગીરી દરમિયાન દંડની રેકોર્ડ રકમ પ્રાપ્ત થઈ હતી. અમદાવાદ મંડળ દ્વારા જાન્યુઆરી 2023 સુધી ટિકિટ ચેકિંગમાંથી 23.23 કરોડ રૂપિયા દંડ વસૂલવામાં આવ્યા છે.ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.

. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરો ને મુશ્કેલી મુક્ત આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ-એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના કે અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ રેલવે મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં 1 એપ્રિલ 2022થી 31 જાન્યુઆરી 2023 ની વચ્ચે મંડળ દ્વારા રૂ. 23.23 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા 65.30% વધુ છે. અમદાવાદ મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

આ દરમિયાન ટિકિટ વિના મુસાફરીના કુલ 285465 કેસ, અનિયમિત મુસાફરીના 47258 કેસ, બુક વગર ના સામાનના 925 કેસ મળીને કુલ 23.23 કરોડની આવક થઈ છે.

પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય જનતાને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ-મહેસાણાથી આવતી જતી 14 ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે

પશ્ચિમ રેલવે દ્વારા જગુદણ-મહેસાણા વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને કારણે કેટલીક ટ્રેન 21 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. જેને પગલે આ રૂટ પર આવતી-જતી 14 ટ્રેનોને રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ આવતી-જતી 8 ટ્રેનોનો સમાવેશ થાય છે. સાબરમતી-મહેસાણા સહિત સાબરમતી-જોધપુર, મહેસાણા-વિરમગામ સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સિવાયની અન્ય ટ્રેનની વિગતો આ પ્રમાણે છે. પશ્ચિમ રેલવે આપેેલી વિગતો ઉપરાંત ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આટલી ટ્રેન કરવામાં આવી છે રદ

સાબરમતી-મહેસાણા મહેસાણા-સાબરમતી વિરમગામ-મહેસાણા મહેસાણા-વિરમગામ સાબરમતી-પાટણ પાટણ-સાબરમતી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">