Gujarati NewsGujaratAhmedabadPSM100: Today last day of performances and dance dramas in the inspirational festival of shatabdi mahotsav it will conclude tomorrow
આજે આ નગરમાં ચાલતા તમામ પ્રદર્શનો , નૃત્ય નાટિકા અને જાગૃતિ કાર્યક્ર્મોનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં દેશ વિદેશના અસંખ્ય લોકો આ આ મહોત્સવના દર્શન કરી ચૂક્યા છે. આજે અંતિમ દિવસે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ જગ્યાએ પ્રવેશ મળશે.
Pramukh Swaminagar Ahmedabad
Follow us on
અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી ચાલતા સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાનનો સંદેશ આપતા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજે અંતિમ દિવસ છે આવતીકાલે આ મહોત્સવનું સમાપન થઈ જશે. આજે આ નગરમાં ચાલતા તમામ પ્રદર્શનો, નૃત્ય નાટિકા અને જાગૃતિ કાર્યક્ર્મોનો અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં દેશ વિદેશના અસંખ્ય લોકો આ આ મહોત્સવના દર્શન કરી ચૂક્યા છે. આજે અંતિમ દિવસે સવારે 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી તમામ જગ્યાએ પ્રવેશ મળશે.
વિવિધ પ્રદર્શનો નિહાળી લોકો થયા જાગૃત
પ્રમુખસ્વામી મહારાજ નગરના પ્રેરણાદાયી આકર્ષણો અને પ્રદર્શનો દ્વારા દેશ વિદેશના લાખો લોકોએ અહીં દર્શન કર્યા છે તેમજ લોકોએ વ્યસનમુક્તિ, પારિવારિક શાંતિ, સામાજિક દાયિત્વ અને રાષ્ટ્રભક્તિના સંદેશને આત્મસાત કર્યો હતો તો ચલો તોડ દે યે બંધન, અને તૂટે હ્યદય તૂટે ઘર સંવાદ દ્વારા હજારો લોકો થયા વ્યસનમુક્તિ અને પારિવારિક શાંતિ માટે થયા નિયમબદ્ધ થયા હતા.
પ્રમુખ સ્વામી નગરમાં બનાવવામાં આવેલું ગ્લો ગાર્ડન એટલે કે પ્રમુખ જયોતિ ઉદ્યાનમાં આવેલી વિવિધ કૃતિઓએ લોકોના મન મોહી લીધા હતા. તે ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ, કલાત્મક સંતદ્વાર, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લા એક મહિનાથી લાખોને પ્રેરક સંદેશ આપી રહ્યા છે.