Rath Yatra 2021 : જાણો અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ કોને અપાય છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રથમ આમંત્રણ સાથે પણ એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ સરજૂ મહારાજના નામના ગજરાજની સમાધિ પર  આપવામાં આવે છે.

Rath Yatra 2021 : જાણો અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ કોને અપાય છે
જાણો અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ કોને અપાય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 1:01 PM

અમદાવાદ( Ahmedabad ) માં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા( Rath Yatra) પૂર્વે ગુરુવારને 24 જૂનના રોજ જળયાત્રાનું સાદગીપૂર્ણ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જો કે કોરોનાના પગલે રથયાત્રાને નીકળવાને લઇને હજુ પણ કોઇ સ્પષ્ટતા થઇ નથી.

રથયાત્રા શહેરીજનો માટે હર્ષ, ઉલ્લાસ અને ભકિતનો અનોખો પ્રસંગ

અમદાવાદ( Ahmedabad )માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા( Rath Yatra) શહેરીજનો માટે હર્ષ, ઉલ્લાસ અને ભકિતનો અનોખો પ્રસંગ છે. તેમજ આ રથયાત્રા સાથે અનેક પ્રકારની ધાર્મિક માન્યતાઓ અને ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રથમ આમંત્રણ સાથે પણ એક અનોખો ઇતિહાસ જોડાયેલો છે. જેમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રથમ આમંત્રણ સરજૂ મહારાજના નામના ગજરાજની સમાધિ પર  આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પરંપરા વર્ષોથી રથયાત્રા સાથે સંકળાયેલ છે. આવો જાણીએ તેની પાછળનો રસપ્રદ ઇતિહાસ

ભગવાન જગન્નાથજીના રથને મંદિર બહાર  ખેંચ્યો હતો.

આ પ્રસંગ છે વર્ષ 1985માં અમદાવાદમાં ફાટી નીકળેલા કોમી તોફાન સમયનો. જ્યારે રથયાત્રા( Rath Yatra) નહિ નિકાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસે મંદિરની બહાર સુરક્ષા માટે આડશ મૂકી હતી છતા ગજરાજ સરજુ પ્રસાદ તેને દુર કરી રથને ખેંચી ગયા હતા જો કે આ દરમ્યાન ગજરાજ સરજુએ મંદિરનો દરવાજો ખોલીને ભગવાન જગન્નાથજીના રથને મંદિર બહાર  ખેંચ્યો હતો.

તોફાનના માહોલમાં પણ ભગવાનને નગરચર્યા કરાવી

તેમજ તેની બાદ સાધુ સંતો અને હરિભક્તોએ તેને ભગવાન જગન્નાથજીની ઈચ્છા સમજીને કોમી તોફાનના માહોલમાં પણ ભગવાનને નગરચર્યા કરાવી હતી. તે સમયથી જ ગજરાજ સરજુના નામની ચર્ચા થવા લાગી હતી. તેમજ તેમને ભગવાન ગણેશનું સ્વરૂપ માનીને તેમની પૂજા વિધિ કરવામાં આવતી હતી.

સપ્તઋષિના આરા પાસે સમાધિ બનાવવામાં આવી

જો કે થોડા સમય બાદ ગજરાજ સરજુના અવસાન બાદ તેમની સપ્તઋષિના આરા પાસે સમાધિ બનાવવામાં આવી છે. જ્યાં લોકો દર્શન માટે પણ આવે છે. તેમજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સર્વપ્રથમ આમંત્રણ તે વર્ષ બાદથી દર વર્ષે ગજરાજ સરજુ મહારાજને આપવામાં આવે છે. તેમજ તેમના ગણેશ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">