AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં ઓરીના કારણે મોત મામલે ગુજરાત બીજા નંબરે, લોકસભામાં રજૂ કરાયા ઓરીના કેસ અને મોતના આંકડા

ગુજરાતમાં વધતા જતા ઓરી (Measles) અછબડાના કેસના પગલે હેલ્થ વિભાગે વિવિધ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. આ ટીમ દ્વારા 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને ઓરીની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સાવચેતીના ભાગરૂપે વિટામિનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે.

દેશમાં ઓરીના કારણે મોત મામલે ગુજરાત બીજા નંબરે, લોકસભામાં રજૂ કરાયા ઓરીના કેસ અને મોતના આંકડા
ગુજરાતમાં વધતા જઇ રહ્યા છે ઓરીના કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 9:51 AM
Share

રાજ્યમાં દિવસે-દિવસે બાળકોમાં ફેલાયેલો ઓરીનો રોગચાળો વકર્યો છે. લોકસભામાં રજૂ કરાયેલા ઓરીના આંકડા પ્રમાણે મોતની દ્રષ્ટીએ ગુજરાત બીજા નંબરે અને કેસની દ્રષ્ટીએ ગુજરાત ત્રીજા નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 8 જિલ્લા અને 3 મહાનગરોમાં ઓરીના કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓરીના 810 કન્ફર્મ અને 4 હજાર 183 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કન્ફર્મ કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 457, સુરત શહેરમાં 86 અને અન્ય જિલ્લાઓમાં 267 કેસ નોંધાયા છે.. અત્યાર સુધી 5.29 લાખ બાળકોને રસી આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગે સાવચેતીરુપ પગલા હાથ ધર્યા

ગુજરાતમાં વધતા જતા ઓરી અછબડાના કેસના પગલે હેલ્થ વિભાગે વિવિધ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. આ ટીમ દ્વારા 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને ઓરીની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સાવચેતીના ભાગરૂપે વિટામિનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે.. આમ આરોગ્ય વિભાગે આ વખતે રોગ વધે નહીં તેની તકેદારી પણ શરૂ કરી છે.સાવચેતીના પગલા સાથે તંત્રએ નાગરિકોને અપીલ પણ કરી છે કે આ રોગ રસીથી જ દૂર થશે માટે વાલી બાળકોને રસી અપાવે.. અધિકારીઓનું કહેવું છે કે બાળકોને તાવ આવે, દાણા નીકળે તો તાત્કાલીક તેની તપાસ કરી સારવાર કરાવે એ જરૂરી છે. આ સાથે જ આ રોગ ચેપી હોવાથી બાળકને આઇસોલેશનમાં રાખવાની પણ સલાહ અપાઈ છે.

ઓરી-અછબડાના લક્ષણો અને ઉપાય

અછબડા વાયરલ ચેપી રોગ છે. આ રોગ મોટાભાગે છ માસથી આઠ વર્ષના બાળકોને થાય છે. દર્દીની ઉંમર વધારે હોય તો ત્રાસ વધારે આપે છે. પુખ્ત ઉંમરનાને થાય તો દાહ અને પીડાથી ત્રાસી જાય છે. એક વખત થયા પછી બીજી વખત થતો નથી. શરૂઆતમાં તાવ આવે છે, કોઇને નથી પણ આવતો. આ રોગમાં સાધારણ શરદી પણ હોય છે…બે દિવસ પછી સફેદ મોતી જેવા ફોલ્લા શરીર અને ચહેરા પર જોવા મળે, તો હળવો તાવ, માથાનો દુ:ખાવો નબળાઇ પણ જોવા મળે છે. બીજે કે ત્રીજે દિવસે પાણી ભર્યું હોય એવા મોતી જેવડા ફોલ્લા જોવા મળતા હોય છે. ઓરી અછબડાથી ડરવાની જોકે જરૂર નથી તેમાં થોડી કાળજી અને યોગ્ય સારવાર લેવામાં આવે તો રોગ મટી જાય છે.

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">