AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં ઓરીના કારણે મોત મામલે ગુજરાત બીજા નંબરે, લોકસભામાં રજૂ કરાયા ઓરીના કેસ અને મોતના આંકડા

ગુજરાતમાં વધતા જતા ઓરી (Measles) અછબડાના કેસના પગલે હેલ્થ વિભાગે વિવિધ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. આ ટીમ દ્વારા 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને ઓરીની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સાવચેતીના ભાગરૂપે વિટામિનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે.

દેશમાં ઓરીના કારણે મોત મામલે ગુજરાત બીજા નંબરે, લોકસભામાં રજૂ કરાયા ઓરીના કેસ અને મોતના આંકડા
ગુજરાતમાં વધતા જઇ રહ્યા છે ઓરીના કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 9:51 AM
Share

રાજ્યમાં દિવસે-દિવસે બાળકોમાં ફેલાયેલો ઓરીનો રોગચાળો વકર્યો છે. લોકસભામાં રજૂ કરાયેલા ઓરીના આંકડા પ્રમાણે મોતની દ્રષ્ટીએ ગુજરાત બીજા નંબરે અને કેસની દ્રષ્ટીએ ગુજરાત ત્રીજા નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધી 9 લોકોનાં મોત થયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13 લોકોનાં મોત થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી 8 જિલ્લા અને 3 મહાનગરોમાં ઓરીના કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ઓરીના 810 કન્ફર્મ અને 4 હજાર 183 શંકાસ્પદ કેસ નોંધાયા છે. કન્ફર્મ કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 457, સુરત શહેરમાં 86 અને અન્ય જિલ્લાઓમાં 267 કેસ નોંધાયા છે.. અત્યાર સુધી 5.29 લાખ બાળકોને રસી આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગે સાવચેતીરુપ પગલા હાથ ધર્યા

ગુજરાતમાં વધતા જતા ઓરી અછબડાના કેસના પગલે હેલ્થ વિભાગે વિવિધ ટીમ બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ પણ શરૂ કર્યું છે. આ ટીમ દ્વારા 9 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને ઓરીની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો સાથે સાથે સાવચેતીના ભાગરૂપે વિટામિનની ટેબ્લેટ પણ આપવામાં આવી છે.. આમ આરોગ્ય વિભાગે આ વખતે રોગ વધે નહીં તેની તકેદારી પણ શરૂ કરી છે.સાવચેતીના પગલા સાથે તંત્રએ નાગરિકોને અપીલ પણ કરી છે કે આ રોગ રસીથી જ દૂર થશે માટે વાલી બાળકોને રસી અપાવે.. અધિકારીઓનું કહેવું છે કે બાળકોને તાવ આવે, દાણા નીકળે તો તાત્કાલીક તેની તપાસ કરી સારવાર કરાવે એ જરૂરી છે. આ સાથે જ આ રોગ ચેપી હોવાથી બાળકને આઇસોલેશનમાં રાખવાની પણ સલાહ અપાઈ છે.

ઓરી-અછબડાના લક્ષણો અને ઉપાય

અછબડા વાયરલ ચેપી રોગ છે. આ રોગ મોટાભાગે છ માસથી આઠ વર્ષના બાળકોને થાય છે. દર્દીની ઉંમર વધારે હોય તો ત્રાસ વધારે આપે છે. પુખ્ત ઉંમરનાને થાય તો દાહ અને પીડાથી ત્રાસી જાય છે. એક વખત થયા પછી બીજી વખત થતો નથી. શરૂઆતમાં તાવ આવે છે, કોઇને નથી પણ આવતો. આ રોગમાં સાધારણ શરદી પણ હોય છે…બે દિવસ પછી સફેદ મોતી જેવા ફોલ્લા શરીર અને ચહેરા પર જોવા મળે, તો હળવો તાવ, માથાનો દુ:ખાવો નબળાઇ પણ જોવા મળે છે. બીજે કે ત્રીજે દિવસે પાણી ભર્યું હોય એવા મોતી જેવડા ફોલ્લા જોવા મળતા હોય છે. ઓરી અછબડાથી ડરવાની જોકે જરૂર નથી તેમાં થોડી કાળજી અને યોગ્ય સારવાર લેવામાં આવે તો રોગ મટી જાય છે.

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">