
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નાણાકીય જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ચૂંટણી સુધારાઓ માટે કાર્યરત સંતોષસિંહ રાઠોડનું કહેવું છે કે, તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવે, તે વિષયો પર કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે,ભારતના સંવિધાનના અનુચ્છેદ 243 (ડ) અને 243 (વ-ક) મુજબ રાજ્ય ચૂંટણી આયોગને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમ છતાં, વર્તમાન વ્યવસ્થામાં ઘણા ખામીઓ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ચૂંટણી લડતા ઉમેદવારો માટે અલગ બેંક એકાઉન્ટ ફરજિયાત નથી. પરિણામે:
ઉદાહરણ તરીકે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અંદાજિત ખર્ચ ₹17.28 કરોડ સુધી પહોંચે છે.
ઉમેદવારો દ્વારા કરવામાં આવતા સોશિયલ મીડિયા પ્રચાર અંગે:
કોઈ ફરજિયાત જાહેરખબર નથી
એજન્સીઓ દ્વારા ખર્ચ થાય છે પરંતુ નોંધાતો નથી
ચૂંટણી અધિકારીઓ પાસે માહિતી ઉપલબ્ધ નથી
2011ના નિયમો મુજબ રાજકીય પક્ષોએ:
રાજ્ય ચૂંટણી આયોગમાં જમા કરાવવાના છે. પરંતુ RTI માહિતી મુજબ ઘણા પક્ષોએ વર્ષો સુધી આ નિયમોનું પાલન કર્યું નહીં હોવાના આક્ષેપ કરાયા છે.
જેમાં હિસાબ ન આપનાર પક્ષો:
કેટલાક પક્ષોએ 2011 થી 2024 સુધી સતત હિસાબ જમા કરાવ્યા નથી.
ઉમેદવારો માટે ખર્ચ નિરીક્ષક હોય છે. પરંતુ રાજકીય પક્ષો માટે કોઈ નિરીક્ષણ વ્યવસ્થા નથી. પાર્ટીઓ દ્વારા દર્શાવેલો ખર્ચ સાચો છે કે નહીં તેની ચકાસણી શક્ય નથી તેવા પણ આક્ષેપ કરાયા છે.
સુપ્રીમ કોર્ટના 1975ના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કરાયું છે કે, પાર્ટી દ્વારા ઉમેદવાર માટે કરાયેલ ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવવો જોઈએ.
ઈરાનને હથિયાર સપ્લાય કરનારા કોઈપણ દેશ પર અમે 50% ટેરિફ, અહીં જાણો
Published On - 8:01 pm, Wed, 8 April 26