Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી

આ વર્ષે 5 માર્ચે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લગભગ 55 એકરમાં આશ્રમના પુનર્વસન માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો.

Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:36 PM

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે બાપુના પૌત્ર તુષાર ગાંધી દ્વારા મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના પુનઃવિકાસના રાજ્ય સરકારના પ્રોજેક્ટ પર રોક લગાવવા અને સરકારના ઠરાવને બાજુ પર રાખવાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેંચે અરજીનો નિકાલ કરતાં એમ પણ કહ્યું છે કે સંબંધિત સરકારી આદેશમાં અરજદારની શંકાઓનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે.

તુષાર ગાંધીએ ગયા મહિને જ કોર્ટમાં આ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે લગભગ 1200 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ આ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ આશ્રમ અને તેની કામગીરીના મૂળ સ્વભાવને અસર કરશે. તેથી તેને રદ્દ કરી આશ્રમને તેના મૂળ સ્વરૂપમાં સાચવવો જોઈએ.

બાપુના આશ્રમની ડિઝાઈન HPC પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ વર્ષે 5 માર્ચે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લગભગ 55 એકરમાં આશ્રમના પુનર્વસન માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવ જારી થયા બાદ તુષાર ગાંધીએ આ પગલાને તેમના દાદા એટલે કે બાપુના મૂળ વિચારોથી તદ્દન વિરુદ્ધ ગણાવ્યું હતું. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટની ડિઝાઇન એ જ HPC પ્રાઇવેટ લિમિટેડ પાસેથી તૈયાર કરવામાં આવી છે જેણે નવા સંસદ ભવન એટલે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પણ ડિઝાઇન તૈયાર કરી છે.

આશ્રમની પ્રકૃતિ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં

આ સાથે જ અનેક ગાંધીવાદી સંગઠનોએ તેના વિરોધમાં યાત્રાનું પણ આયોજન કર્યું હતું. કોર્ટમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અહીંના રાણીપ વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમની પ્રકૃતિ સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં. આ પ્રોજેક્ટ આસપાસના 55 એકર વિસ્તારનો વિકાસ કરવાનો છે, આ દ્વારા માત્ર ગાંધી વિચારધારાનો પ્રચાર કરવામાં આવશે. ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે ભૂતકાળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ જ તર્જ પર કોઈ કારણ વગર ઘણો વિરોધ થયો હતો.

જણાવી દઈએ કે ગાંધી આ આશ્રમમાં રહેતા હતા, જે આઝાદીની લડાઈ દરમિયાન રણનીતિ બનાવવાનું એક મુખ્ય કેન્દ્ર હતું, દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી એક દાયકાથી વધુ સમય સુધી. અહીંથી તેમણે દાંડી યાત્રા શરૂ કરી હતી.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">