AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી

આ વર્ષે 5 માર્ચે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લગભગ 55 એકરમાં આશ્રમના પુનર્વસન માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો.

Gujarat : સાબરમતી આશ્રમનો પુનઃવિકાસ કરવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે તુષાર ગાંધીની અરજી ફગાવી
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 8:36 PM
Share

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે બાપુના પૌત્ર તુષાર ગાંધી દ્વારા મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમના પુનઃવિકાસના રાજ્ય સરકારના પ્રોજેક્ટ પર રોક લગાવવા અને સરકારના ઠરાવને બાજુ પર રાખવાની માંગ કરતી જાહેર હિતની અરજીને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેંચે અરજીનો નિકાલ કરતાં એમ પણ કહ્યું છે કે સંબંધિત સરકારી આદેશમાં અરજદારની શંકાઓનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે.

તુષાર ગાંધીએ ગયા મહિને જ કોર્ટમાં આ જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે દાવો કર્યો હતો કે લગભગ 1200 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ આ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ આશ્રમ અને તેની કામગીરીના મૂળ સ્વભાવને અસર કરશે. તેથી તેને રદ્દ કરી આશ્રમને તેના મૂળ સ્વરૂપમાં સાચવવો જોઈએ.

બાપુના આશ્રમની ડિઝાઈન HPC પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ વર્ષે 5 માર્ચે, રાજ્ય સરકારે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા લગભગ 55 એકરમાં આશ્રમના પુનર્વસન માટે ગવર્નિંગ કાઉન્સિલની રચના કરવાનો ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવ જારી થયા બાદ તુષાર ગાંધીએ આ પગલાને તેમના દાદા એટલે કે બાપુના મૂળ વિચારોથી તદ્દન વિરુદ્ધ ગણાવ્યું હતું. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટની ડિઝાઇન એ જ HPC પ્રાઇવેટ લિમિટેડ પાસેથી તૈયાર કરવામાં આવી છે જેણે નવા સંસદ ભવન એટલે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પણ ડિઝાઇન તૈયાર કરી છે.

આશ્રમની પ્રકૃતિ સાથે કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં

આ સાથે જ અનેક ગાંધીવાદી સંગઠનોએ તેના વિરોધમાં યાત્રાનું પણ આયોજન કર્યું હતું. કોર્ટમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અહીંના રાણીપ વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમની પ્રકૃતિ સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં. આ પ્રોજેક્ટ આસપાસના 55 એકર વિસ્તારનો વિકાસ કરવાનો છે, આ દ્વારા માત્ર ગાંધી વિચારધારાનો પ્રચાર કરવામાં આવશે. ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે ભૂતકાળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ જ તર્જ પર કોઈ કારણ વગર ઘણો વિરોધ થયો હતો.

જણાવી દઈએ કે ગાંધી આ આશ્રમમાં રહેતા હતા, જે આઝાદીની લડાઈ દરમિયાન રણનીતિ બનાવવાનું એક મુખ્ય કેન્દ્ર હતું, દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી એક દાયકાથી વધુ સમય સુધી. અહીંથી તેમણે દાંડી યાત્રા શરૂ કરી હતી.

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">