AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે

ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:04 AM
Share

ગણેશ વિસર્જનમાં ભક્તોએ નિયમોનું પણ પાલન કરવું પડશે.રાજ્ય સરકારે તૈયાર કરેલી SOPનો ભક્તોએ કડક અમલ કરવાનો રહેશે.

ગુજરાતમાં રવિવારે ગણેશ વિસર્જન થશે. જેમાં ભક્તોએ 10 દિવસ સુધી આતિથ્ય માણ્યા બાદ સૃષ્ટિના સર્જનહાર એવા ગણેશજીને આજે વિદાય અપાશે.ભક્તો ગણેશજીને ભક્તિભાવ અને અશ્રુભીની વિદાય આપશે અને ગણેશ પ્રતિમાને વિસર્જિત કરશે.

જોકે આ વખતે ગણેશ વિસર્જનમાં ભક્તોએ નિયમોનું પણ પાલન કરવું પડશે.રાજ્ય સરકારે તૈયાર કરેલી SOPનો ભક્તોએ કડક અમલ કરવાનો રહેશે. તો ભક્તો ગણેશ વિસર્જન સમયે ભીડભાડ નહીં કરી શકે અને વિસર્જનમાં એક વાહન સાથે માત્ર 15 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે.

તો ગણેશ વિસર્જન સાથે કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસ વિભાગે પણ ખાસ તૈયારીઓ કરી છે.અમદાવાદમાં 10 હજાર કરતા વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે.તો 52 સ્થળો પર 180 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરાશેઆ તરફ રાજકોટમાં પણ પોલીસે ગણેશ મંડળો માટે અલગ અલગ રંગોના પાસ ઇસ્યુ કર્યા છે.

જો પોલીસનો રંગીન પાસ હશે તો જ વિસર્જનને મંજૂરી મળશે.આ તરફ સુરતમાં પણ 9 હજાર કરતા વધુ પોલીસકર્મીઓ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર બાજ નજર રાખશે..મનપાએ સુરતમાં 8 ઝોનમાં કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે.

મહત્વનું છે કે અમદાવાદ કોર્પોરેશન દવારા જે કુંડ બનાવ્યા છે તે 52 જેટલા છે. જ્યાં લાઇટિંગની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેથી ભક્તોને વિસર્જનમાં હાલાકી ન પડે. તો જરૂર પ્રમાણે મજબૂત બેરીકેટિંગ કરવા પર પણ ધ્યાન અપાયુ છે. જેથી ધક્કામુક્કી ન થાય અને દુબવાથી મોત ને કોઈ ઘટના ન બને તે મુખ્ય મુદ્દો છે. જે તમામ અનુસંધાને તમામ અધિકારીને બ્રિફ કરી સૂચના પણ આપી દેવાઈ હોવાનું ડીસીપી કંટ્રોલ જણાવ્યું.

તો વધુમાં એ પણ જણાવ્યું કે શહેરમાં 740 સ્થળે ગણેશ પંડાલ લગાવેલ છે. જેમાં ફક્ત 180 સાર્વજનિક ગણેશ વિસર્જન માટે આવનાર છે. બાકી સ્થળ પર વિસર્જન કરશે તેવી માહિતી મળી છે. જેથી નિયમનું પાલન થાય તેવી પોલીસને આશા છે.

જોકે તેમ છતાં રવિવારે વિસર્જન છે તો પોલીસ તરફથી અપીલ કરાઈ છે કે શક્ય હોય ત્યાં સુધી સ્થાપન હોય ત્યાં કે આસપાસ જ વિસર્જન કરીએ. કુંડમાં વિસર્જન કરવું આગ્રહ ન રાખીએ. જો જવાનું થાય તો ગાઈડલાઈનનું પાલન કરે.વિસર્જન દરમીયાન ભીડ થાય તો પોલીસને સહકાર આપે. કેમ કે દોઢ વર્ષથી મહામારી જોઈએ છીએ તો તે ધ્યાન રાખી ભીડ ન કરીએ. માસ્ક પહેરી નિયમ પાડી વિસર્જન કરી સહકાર આપીએ તેવી અપીલ કરાઈ.

આ પણ  વાંચો : Surat: ફાયર ફાઈટીંગ રોબોટ માટે સુરત કોર્પોરેશન અમદાવાદ કરતા 30 લાખ રૂપિયા વધુ ચુકવશે

આ પણ વાંચો : પંચમહાલમાં બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો, ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાયા

Published on: Sep 19, 2021 07:16 AM
g clip-path="url(#clip0_868_265)">