AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા ટીમની પુન: રચના કરી

આગામી ઇલેક્શનને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી માહિતી ઝડપથી એકબીજા સુધી  પહોંચાડી શકશે. તેમજ સોશિયલ  મીડિયા પર કોંગ્રેસ પક્ષની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા ટીમની પુન: રચના કરી
Congress Flag (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 10:41 PM
Share

ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election) ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે(Congress)  તેની સોશિયલ મીડિયા(Social Media)  ટીમનું પુનર્ગઠન કર્યું છે. જેમાં મતદારોને પાર્ટીના વિશે માહિતગાર કરવા અને ફેક ન્યૂઝ સામે લડવા માટે 200 કાર્યકરોને જોડ્યા છે. પાર્ટીના પ્રવક્તાએ રવિવારે આ જાણકારી સમાચાર આપી હતી. કોંગ્રેસના ગુજરાતના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પીટીઆઈને જણાવ્યું હતું કે નવા કાર્યકરોમાં જિલ્લા અને મેટ્રો સ્તરે 41 પ્રમુખ, 15 ઉપપ્રમુખ, 30 મહાસચિવ, 44 સચિવ અને 60 કાર્યકારી સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.

આ ટીમમાં પાર્ટીના સમર્પિત કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો

તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસ પક્ષે ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર તેની હાજરીનું સંચાલન કરવા માટે નવી ટીમની રચના કરવાની જાહેરાત કરી છે. જેમાં હોદ્દેદારોની જવાબદારીઓ નક્કી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પાર્ટી સોશિયલ મીડિયા પર મોટો કાર્યક્રમ કરવાનું આયોજન કરી રહી છે.દોશીએ કહ્યું કે આ ટીમમાં પાર્ટીના સમર્પિત કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય રાજકીય પક્ષો જેવા પગારદાર લોકો નથી.

આગામી ચૂંટણીમાં અસરકારક ભૂમિકા ભજવી શકે

આ કાર્યકરો  અમારા સોશિયલ મીડિયા પર હાજર અન્ય કાર્યકરો સાથે નેટવર્કમાં જોડાશે.જેથી કરીને તેઓ પાર્ટી સંબંધિત નકલી સમાચાર અને ખોટી માહિતીનો સામનો કરીને આગામી ચૂંટણીમાં અસરકારક ભૂમિકા ભજવી શકે. તેમજ આગામી ઇલેક્શનને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી માહિતી ઝડપથી એકબીજા સુધી  પહોંચાડી શકશે. તેમજ સોશિયલ  મીડિયા પર કોંગ્રેસ પક્ષની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.

રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની લડત માત્ર ભાજપ વિરુદ્ધ જ નહિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પક્ષ દ્વારા તેની સોશિયલ મીડિયા ટીમને મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પણ આ વખતે રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની લડત માત્ર ભાજપ વિરુદ્ધ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIIM સામે પણ છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ મજબૂત છે જયારે આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયા પર સારી એવી ધરાવે છે. જેના પગલે આ બધા વિરુદ્ધ કોંગ્રેસે પોતાની સોશિયલ મીડિયા ટીમને વધુ મજબૂત કરવાની જરૂર પણ હતી

આ પણ વાંચો : Gir somnath : ઉમિયાધામ સીદસર નિર્મિત ઉમા અતિથી ગૃહનું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ

આ પણ વાંચો : ગુજરાતમાં તલાટીઓને ભજન મંડળી ગણવાની સોંપેલી કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">