Ahmedabad: મુસાફરોની સુવિધામાં વધારો, રેલ્વે મંત્રાલયે IRCTCને ટ્રેનોમાં મેનુ નક્કી કરવાની સત્તા સોંપી

|

Nov 16, 2022 | 4:55 PM

રેલવે મંત્રાલયે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે IRCTCને ટ્રેનોમાં મેનુ નક્કી કરવાની સત્તા સોંપી છે. રેલ્વે મંત્રાલયે તાજેતર માં કંપનીને ઓન-બોર્ડ પ્રીમિયમ અને મેલ/એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોને આપવામાં આવતા ભોજન ના મેનૂ નક્કી કરવાની વધારાની જવાબદારી સોંપી છે

Ahmedabad: મુસાફરોની સુવિધામાં વધારો, રેલ્વે મંત્રાલયે IRCTCને ટ્રેનોમાં મેનુ નક્કી કરવાની સત્તા સોંપી
IRCTC Menu
Image Credit source: File Image

Follow us on

રેલવે મંત્રાલયે મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે IRCTC ને ટ્રેનોમાં મેનુ નક્કી કરવાની સત્તા સોંપી છે. રેલ્વે મંત્રાલયે તાજેતર માં કંપનીને ઓન-બોર્ડ પ્રીમિયમ અને મેલ/એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનોમાં મુસાફરોને આપવામાં આવતા ભોજન ના મેનૂ નક્કી કરવાની વધારાની જવાબદારી સોંપી છે. તેની શરૂઆત થી IRCTC ટ્રેનો તેમજ સ્ટેશનો પર કેટરિંગ સેવાઓની ગુણવત્તા સુધારવા અને મુસાફરોના ભોજનના અનુભવને વ્યાવસાયિક બનાવવા અને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે વ્યાવસાયિક હોસ્પિટાલિટી સેવાઓની તેની તાકાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

IRCTCને ટ્રેનોમાં મેનુ નક્કી કરવાની સત્તા સોંપવા માટે રેલવે મંત્રાલયના ઉપરોક્ત પગલાને આવકારદાયક પગલા તરીકે જોવામાં આવે છે અને IRCTC પ્રાદેશિક ભોજન, મોસમી વાનગીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુસાફરો માટે મેનુ વિકલ્પોની શ્રેણી રજૂ કરવાનું વિચારી રહી છે. દર્દીઓ, આરોગ્ય પ્રત્યે જાગૃત પ્રવાસીઓ અને શિશુઓની વિશેષ જરૂરિયાતો પૂરી કરવા માટે તહેવારોના ખોરાક સિવાય ડાયાબિટીક ખોરાક, આરોગ્યપ્રદ ખોરાક અને બેબી ફૂડ ઓફર કરે છે.ભારત સરકારના આદેશ પર અત્યંત પૌષ્ટિક મિલેટ-અનાજ બાજરાના વપરાશને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ 2023ને “બાજરી નું આંતરરાષ્ટ્રીય વર્ષ” તરીકે ઉજવશે.

રેલ્વે મંત્રાલયે IRCTCને બ્રાન્ડેડ ખાદ્ય ચીજવસ્તુઓ તેમજ મેનૂમાં ઉપલબ્ધ વાનગીઓ/ખાદ્ય પદાર્થો (એ-લા-કાર્ટે ડીશ) તેમજ મેલ/એક્સપ્રેસ પેસેન્જર ટ્રેનમાં વેચવાની પણ પરવાનગી આપી છે. જ્યારે બ્રાન્ડેડ ખાદ્યપદાર્થો એમઆરપી મુજબ વેચવામાં આવશે. ત્યારે અ-લા-કાર્ટે ખોરાકની કિંમત IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

મુસાફરોના એકંદર જમવાના અનુભવને સુધારવાના ઉદ્દેશ્યથી રેલ્વે મંત્રાલયનું ઉપરોક્ત પગલું ખૂબ જ પ્રોત્સાહક માનવામાં આવી રહ્યું છે. કેમ કે રેલ મુસાફરો હવે મેનુની વિશાળ પસંદગીમાંથી ખોરાકનો ઓર્ડર આપી શકશે અને હવે તેઓ તેમની પસંદગીઓ અને પેલેટ મુજબ વિવિધ પ્રકારના ભોજનનો આનંદ લઈ શકશે.

Published On - 4:51 pm, Wed, 16 November 22

Next Article