આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પર્વ એટલે વિજયાદશમી (Dussehra). આજના દિવસે વિવિધ જગ્યાએ રાવણનું દહન (Ravan Dahan) કરીને લોકો વિજયાદશમીની ઉજવણી કરે છે. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની (Ahmedabad) તો, અમદાવાદમાં ભાડજનાં (Bhadaj) હરેકૃષ્ણ મંદિરે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 60 ફૂટ ઊંચા રાવણ પૂતળાનું દહન કરાયું હતું. તો અમદાવાદમાં જ નાગરવેલ ખાતે પણ વિજયાદશમીની ઉજવણી અંતર્ગત 55 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું હતું.
‘Ravan Dahan’ at Nagarvel Hanuman and at Hare Krishna Temple Bhadaj in #Ahmedabad#TV9News pic.twitter.com/ScvUSSTS3V
— Tv9 Gujarati (@tv9gujarati) October 5, 2022
જ્યારે સુરતના (Surat) અંબાનગર ખાતે રાવણના 35 ફૂટ ઉંચા પૂતળાને બાળીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત રાજકોટ શહેરમાં પણ વિવિધ જગ્યાએ રાવણના પૂતળાના દહનનો કાર્યક્રમ યોજાયો હતો.