Ahmedabad જિલ્લામાં ચોમાસા દરમ્યાન ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમથી કામ કરવા જિલ્લા કલેકટરે ઘડ્યો એક્શન પ્લાન

|

Jun 08, 2021 | 12:06 AM

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન 11 જૂનથી 13મી જૂન સુધીમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે અમદાવાદ (Ahmedabad)વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા માટે પ્રિમોન્સૂનનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.

Ahmedabad જિલ્લામાં ચોમાસા દરમ્યાન ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમથી કામ કરવા જિલ્લા કલેકટરે ઘડ્યો એક્શન પ્લાન
જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે દ્વારા મિટિંગમાં વિવિધ વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી

Follow us on

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન 11 જૂનથી 13મી જૂન સુધીમાં થાય તેવી પ્રબળ શક્યતાઓ વચ્ચે અમદાવાદ (Ahmedabad)વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લા માટે પ્રિમોન્સૂનનો એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.

 

ચોમાસા દરમ્યાન અમદાવાદ જિલ્લામાં ઓછામાં ઓછું નુકસાન અને ઝીરો કેઝ્યુઅલ્ટી થાય તે માટે વિવિધ વિભાગોને કામગીરી સોંપવામાં આવી છે.ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટી જેવી સંભવિત કુદરતી આફતો સામે પૂર્વ આયોજનના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે (Collector Sandeep Sagle)ની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા અધિક કલેકટર, પશુપાલન વિભાગના વડા, કૃષિ વિભાગના વડા તેમજ આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મયોગીઓને કહ્યું કે કુદરતી આફતમાં કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે એ જોવાની જવાબદારી આપણા સૌની છે. જેથી તમામ કર્મચારીઓને ઝીરો કેઝ્યૂઅલ્ટી અભિગમથી કામ કરવાનો અનુરોધ કર્યો.

 

જિલ્લા કલેક્ટર દ્વારા આ મિટિંગમાં વિવિધ વિભાગોની ચોમાસા પૂર્વેની તૈયારીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ સંભવિત જોખમવાળા અને નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તેવા વિસ્તારોમાં અગાઉથી આપત્તિજનક સ્થિતિમાં શુ કરવું તે અંગેની માહિતી પૂરી પાડવા તેમજ આપત્તિજનક સ્થિતિમાં ગ્રામજનોનો સંપર્ક સરળતાથી સાંધી શકાય તે દિશામાં કામ કરવા દિશાનિર્દેશ આપ્યા.

 

સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી અને રેલવે વિભાગને પાણીના વહેણમાં અવરોધરુપ સ્ટ્રક્ચર દૂર કરવા માટેની પણ સૂચના આપવામાં આવી. કુદરતી આફતના સમયે જિલ્લા કંટ્રોલ રુમમાં ફરજ બજાવતા કર્મચારીઓને વધુ સંવેદનશીલતા બનાવવા તેમજ તાલીમબદ્ધ કરવા માટેનું સૂચન પણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવ્યું.

કલેક્ટર સંદીપ સાગલેએ કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે અતિવૃષ્ટી કે અનાવૃષ્ટીના સંદર્ભે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. સાથે જ પશુપાલન વિભાગના અધિકારીને પણ ચોમાસાના સંદર્ભે પશુના રસીકરણ અંગેની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે સૂચનો કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો: Ahmedabad: 3 મહિના બાદ AMTS અને BRTS સેવાનો શહેરીજનોએ લીધો લાભ, જાણો પહેલા દિવસે કેટલી થઈ કમાણી?

Next Article