Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું

કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીને 9 દિવસના રિમાન્ડ પર મોકલવાની સાથે અમદાવાદના એક મૌલવીને પણ પકડી લેવામાં આવ્યો છે ત્યારે આ કેસમાં 6 મૌલવીઓ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:26 PM

પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુજસીટોક અને UAPA એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે

ધંધુકામાં (Dhandhuka) કિશન ભરવાડ હત્યા (Murder) કેસમાં એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. વિવાદીત પોસ્ટના (Controversial post) કારણે કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીને 9 દિવસના રિમાન્ડ પર મોકલવાની સાથે અમદાવાદના એક મૌલવીને પણ પકડી લેવામાં આવ્યો છે ત્યારે આ કેસમાં 6 મૌલવીઓ પણ સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આરોપીઓ દ્વારા જામનગરમાં પણ એક યુવાનની હત્યાનું કાવતરું ઘડાયું હોવાની વીગતો પણ સાંપડી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારાઓને સબક શિખવવા માટે આ સમગ્ર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. ઘટનામાં પકડાયેલા તમામ આરોપીઓ સામે ગુજસીટોક અને UAPA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શખ્સે હથિયાર પૂરું પાડ્યા હોવાની માહિતી મળી છે. દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીર સમાએ હથિયાર આપ્યા હોવાની શંકા છે. અજીમ સમા ગઇકાલ રાતથી ફરાર છે. અમદાવાદ પોલીસની ટીમે પણ રાજકોટમાં તપાસ કરી છે. અજીમ અને તેના બન્ને ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવી રહ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી છે. આ બાબતે વસીમ ઉર્ફે બચો બસીરભ સમા અને જુબેર બસીર સમાની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે.

રવિવારે ધંધુકા બંધની જાહેરાત

અમદાવાદના ધંધુકામાં માલધારી સમાજના યુવકની હત્યા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. હત્યાની ઘટનાના વિરોધમાં રવિવારે ધંધુકા બંધની જાહેરાત કરી છે. ધોળકા વિશ્વ હિન્દૂ પરિષદ ધોળકા પ્રખંડ દ્વારા બંધની જાહેરાત કરવામાં આવી છે. જેને ધંધુકાના વેપારીઓએ પણ સમર્થન જાહેર કર્યું છે તો આ તરફ બોટાદના બરવાળા શહેરમાં પણ બંધનું એલાન કરાયું છે. બરવાળામાં હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ધંધુકામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનારા જમાલપુરના મૌલવીની ધરપકડ, મુંબઇના મૌલવીની ભૂમિકા ખુલી

આ પણ વાંચોઃ પોલીસ ભરતી માટે ગૃહ વિભાગે વીડિયો સીરીઝ લોંચ કરી, હર્ષ સંઘવીએ કહ્યું કે નવી ભરતીઓ પણ થશે, તૈયારી ચાલુ જ રાખજો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">