AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી

જેટલી શાળાઓ બંધ થવાની અરજી કચેરીને મળી છે તે અંગે કચેરી દ્વારા યોગ્ય કારણોની તપાસ કરવામાં આવશે. તેમજ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી
અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:17 PM
Share

16 શાળાઓમાં ભણતા 184 બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ

એક તરફ જ્યાં સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં ગુજરાતી માધ્યમને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. ત્યાં બીજી તરફ ગુજરાતીઓમાં જ ગુજરાતી ભાષાની અવગણના કરવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરની DEO કચેરી ખાતે કુલ 16 ગુજરાતી માધ્યમની ખાનગી શાળાઓના સંચાલકોએ શાળા બંધ કરવાની પરવાનગી માંગતી અરજી કરી છે. જેમાં તેમણ

મુખ્યત્વે નિભાવ ખર્ચ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને જવાબદાર ઠેરવી છે. શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાતી માધ્યમની આટલી શાળાઓ બંધ થવા લાગે ત્યારે ફરીવાર અંગ્રેજીના ક્રેઝ સામે ગુજરાતી ભાષા મરણપથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે ટીવી9 ગુજરાતી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ભરતસિંહ ગોહિલે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં વાલીઓના અંગ્રેજી ભાષામાં વધતા ક્રેઝને લીધે ગુજરાતી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

હવે આ જેટલી શાળાઓ બંધ થવાની અરજી કચેરીને મળી છે તે અંગે કચેરી દ્વારા યોગ્ય કારણોની તપાસ કરવામાં આવશે. તેમજ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે પણ આ મુદ્દે જણાવ્યું હતું કે વાલીઓમાં ક્યાંકને ક્યાંક ગુજરાતી ભાષા પ્રત્યે એક પૂર્વગ્રહ જોવા મળી રહ્યો છે કે જો મારું બાળક ગુજરાતીમાં ભણેલું હશે તો તે અન્ય બાળકોની સરખામણીમાં નબળું ગણાશે.

તેમજ હરીફાઈમાં પાછળ રહી જશે, ઉપરાંત વિદેશમાં બાળકોને આગળ જતા મોકલવું હોય તે સમયે તેને મુશ્કેલી ન પડે તે માટે પણ અંગ્રેજી માધ્યમનો આગ્રહ વાલીઓ રાખતા હોય છે. ઉપરાંત વાલી મંડળ તરફથી અમિતભાઈ પંચાલે જણાવ્યું હતું કે અનેક ગુજરાતી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ નથી હોતા, જેથી બાળકોની કેળવણી પર પણ વિપરીત અસર પડે છે તેને કારણે પણ વાલીઓ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાનો નિર્ણય લેતા હોય છે.

બંધ થનાર સ્કૂલોની યાદી

કામેશ્વર સ્કૂલ, જોધપુર (અંગ્રેજી અને ગુજરાતી)

પુલકિત સ્કૂલ, પાલડી

ગાયત્રી વિદ્યાલય, વિંઝોલ (અંગ્રેજી અને ગુજરાતી)

સ્કોલર ઇન્ટરનેશનલ ખોખરા

આઈ એન પટેલ, નિર્ણયનગર

સ્વામિનારાયણ સ્કૂલ, ચાંદલોડિયા

એમ એ કલામ સ્કૂલ, જુહાપુરા

ડી એસ પટેલ સ્કૂલ, ઓઢવ

પી આર પટેલ, ડી કેબિન, ચાંદખેડા

રવિ બાલ વિદ્યામંદિર, અસારવા

ગાંધી વિદ્યાલય

આનંદ પ્રાથમિક શાળા,

અંબિકા પ્રાથમિક શાળા, બાપુનગર

નવયુગ સ્કૂલ

આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">