AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી

જેટલી શાળાઓ બંધ થવાની અરજી કચેરીને મળી છે તે અંગે કચેરી દ્વારા યોગ્ય કારણોની તપાસ કરવામાં આવશે. તેમજ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી
અમદાવાદ શહેરની 16 જેટલી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કરવાની અરજી DEOને મળી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:17 PM
Share

16 શાળાઓમાં ભણતા 184 બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ

એક તરફ જ્યાં સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિમાં ગુજરાતી માધ્યમને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.. ત્યાં બીજી તરફ ગુજરાતીઓમાં જ ગુજરાતી ભાષાની અવગણના કરવામાં આવી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરની DEO કચેરી ખાતે કુલ 16 ગુજરાતી માધ્યમની ખાનગી શાળાઓના સંચાલકોએ શાળા બંધ કરવાની પરવાનગી માંગતી અરજી કરી છે. જેમાં તેમણ

મુખ્યત્વે નિભાવ ખર્ચ, વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને જવાબદાર ઠેરવી છે. શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાતી માધ્યમની આટલી શાળાઓ બંધ થવા લાગે ત્યારે ફરીવાર અંગ્રેજીના ક્રેઝ સામે ગુજરાતી ભાષા મરણપથારીએ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે ટીવી9 ગુજરાતી સાથે જિલ્લા શિક્ષણ અધિકારીના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ભરતસિંહ ગોહિલે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં વાલીઓના અંગ્રેજી ભાષામાં વધતા ક્રેઝને લીધે ગુજરાતી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

હવે આ જેટલી શાળાઓ બંધ થવાની અરજી કચેરીને મળી છે તે અંગે કચેરી દ્વારા યોગ્ય કારણોની તપાસ કરવામાં આવશે. તેમજ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અભ્યાસ કરતા બાળકોને અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે પણ આ મુદ્દે જણાવ્યું હતું કે વાલીઓમાં ક્યાંકને ક્યાંક ગુજરાતી ભાષા પ્રત્યે એક પૂર્વગ્રહ જોવા મળી રહ્યો છે કે જો મારું બાળક ગુજરાતીમાં ભણેલું હશે તો તે અન્ય બાળકોની સરખામણીમાં નબળું ગણાશે.

તેમજ હરીફાઈમાં પાછળ રહી જશે, ઉપરાંત વિદેશમાં બાળકોને આગળ જતા મોકલવું હોય તે સમયે તેને મુશ્કેલી ન પડે તે માટે પણ અંગ્રેજી માધ્યમનો આગ્રહ વાલીઓ રાખતા હોય છે. ઉપરાંત વાલી મંડળ તરફથી અમિતભાઈ પંચાલે જણાવ્યું હતું કે અનેક ગુજરાતી શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ નથી હોતા, જેથી બાળકોની કેળવણી પર પણ વિપરીત અસર પડે છે તેને કારણે પણ વાલીઓ અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવવાનો નિર્ણય લેતા હોય છે.

બંધ થનાર સ્કૂલોની યાદી

કામેશ્વર સ્કૂલ, જોધપુર (અંગ્રેજી અને ગુજરાતી)

પુલકિત સ્કૂલ, પાલડી

ગાયત્રી વિદ્યાલય, વિંઝોલ (અંગ્રેજી અને ગુજરાતી)

સ્કોલર ઇન્ટરનેશનલ ખોખરા

આઈ એન પટેલ, નિર્ણયનગર

સ્વામિનારાયણ સ્કૂલ, ચાંદલોડિયા

એમ એ કલામ સ્કૂલ, જુહાપુરા

ડી એસ પટેલ સ્કૂલ, ઓઢવ

પી આર પટેલ, ડી કેબિન, ચાંદખેડા

રવિ બાલ વિદ્યામંદિર, અસારવા

ગાંધી વિદ્યાલય

આનંદ પ્રાથમિક શાળા,

અંબિકા પ્રાથમિક શાળા, બાપુનગર

નવયુગ સ્કૂલ

આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">