AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

પશ્ચિમ રેલવેના (Western Railway) જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે
પશ્ચિમ રેલવેImage Credit source: ફાઇલ તસવીર
Darshal Raval
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:03 AM
Share

ભાવનગર (Bhavnagar) અને સાબરમતી વિસ્તારના લોકોની સુવિધા અને માગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) ભાવનગર અને સાબરમતી સ્ટેશન વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ (Superfast Intercity Express) શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન સાબરમતી સ્ટેશન પર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદને (Ahmedabad)પણ કનેક્ટિવિટી પ્રદાન કરી રહી છે. જો કે ટ્રેન શરૂ થતાં શહેર વચ્ચેથી પસાર થતા લોકોને રેલવે ક્રોસિંગ પર ઉભા રહેવું પડશે તેમજ ટ્રાફિક પણ સર્જાઈ શકે છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે. આ ટ્રેન ભાવનગરથી 11.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 16:00 કલાકે સાબરમતી પહોંચી હતી. તેવી જ રીતે, પરત ફરવાની દિશામાં, તે જ દિવસે એટલે કે 22મી ઓક્ટોબરના રોજ આ ટ્રેન 09537 સાબરમતી- ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી અને સાબરમતીથી 16.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 21:00 કલાકે ભાવનગર પહોંચી.

તેમજ ટ્રેન નંબર 20966 ભાવનગર – સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેની નિયમિત સેવામાં 23મી ઓક્ટોબરથી ભાવનગરથી દરરોજ 06.00 કલાકે ઉપડી હતી અને તેવી જ રીતે ટ્રેન નંબર 20965 સાબરમતી – ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી દરરોજ 16.00 કલાકે ઉપડી હતી.

રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર અને ગાંધીગ્રામ સ્ટેશન પર ઉભી રહેશે. જેના કારણે ટ્રેન અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતા શહેરના નવરંગપુરા, સંઘવી હાઈસ્કૂલ, વિજયનગર સહિત અલગ અલગ રેલવે ક્રોસિંગ બંધ કરવાની ફરજ પડશે. જેના કારણે ટ્રાફિક સર્જાશે. જેથી લોકોએ તે સમય કાઢીને નીકળવું પડશે તેવું લાગી રહ્યું છે.

આ ટ્રેનમાં એસી 3-ટાયર, સેકન્ડ ક્લાસ સીટિંગ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે. પ્રારંભિક ટ્રેન નંબર 09538/09537 માટે બુકિંગ ખુલ્લું છે અને નિયમિત ટ્રેન નંબર 20966/20965 માટે બુકિંગ 22મી ઑક્ટોબરથી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરાયુ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">