ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

પશ્ચિમ રેલવેના (Western Railway) જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે
પશ્ચિમ રેલવેImage Credit source: ફાઇલ તસવીર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:03 AM

ભાવનગર (Bhavnagar) અને સાબરમતી વિસ્તારના લોકોની સુવિધા અને માગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) ભાવનગર અને સાબરમતી સ્ટેશન વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ (Superfast Intercity Express) શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન સાબરમતી સ્ટેશન પર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદને (Ahmedabad)પણ કનેક્ટિવિટી પ્રદાન કરી રહી છે. જો કે ટ્રેન શરૂ થતાં શહેર વચ્ચેથી પસાર થતા લોકોને રેલવે ક્રોસિંગ પર ઉભા રહેવું પડશે તેમજ ટ્રાફિક પણ સર્જાઈ શકે છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે. આ ટ્રેન ભાવનગરથી 11.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 16:00 કલાકે સાબરમતી પહોંચી હતી. તેવી જ રીતે, પરત ફરવાની દિશામાં, તે જ દિવસે એટલે કે 22મી ઓક્ટોબરના રોજ આ ટ્રેન 09537 સાબરમતી- ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી અને સાબરમતીથી 16.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 21:00 કલાકે ભાવનગર પહોંચી.

તેમજ ટ્રેન નંબર 20966 ભાવનગર – સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેની નિયમિત સેવામાં 23મી ઓક્ટોબરથી ભાવનગરથી દરરોજ 06.00 કલાકે ઉપડી હતી અને તેવી જ રીતે ટ્રેન નંબર 20965 સાબરમતી – ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી દરરોજ 16.00 કલાકે ઉપડી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર અને ગાંધીગ્રામ સ્ટેશન પર ઉભી રહેશે. જેના કારણે ટ્રેન અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતા શહેરના નવરંગપુરા, સંઘવી હાઈસ્કૂલ, વિજયનગર સહિત અલગ અલગ રેલવે ક્રોસિંગ બંધ કરવાની ફરજ પડશે. જેના કારણે ટ્રાફિક સર્જાશે. જેથી લોકોએ તે સમય કાઢીને નીકળવું પડશે તેવું લાગી રહ્યું છે.

આ ટ્રેનમાં એસી 3-ટાયર, સેકન્ડ ક્લાસ સીટિંગ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે. પ્રારંભિક ટ્રેન નંબર 09538/09537 માટે બુકિંગ ખુલ્લું છે અને નિયમિત ટ્રેન નંબર 20966/20965 માટે બુકિંગ 22મી ઑક્ટોબરથી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરાયુ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Latest News Updates

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
g clip-path="url(#clip0_868_265)">