AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

પશ્ચિમ રેલવેના (Western Railway) જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે.

ભાવનગર અને સાબરમતી વચ્ચે દૈનિક ઇન્ટરસિટી એક્સપ્રેસ શરુ, અમદાવાદમાં રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે
પશ્ચિમ રેલવેImage Credit source: ફાઇલ તસવીર
Darshal Raval
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:03 AM
Share

ભાવનગર (Bhavnagar) અને સાબરમતી વિસ્તારના લોકોની સુવિધા અને માગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે (Western Railway) ભાવનગર અને સાબરમતી સ્ટેશન વચ્ચે નવી દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ (Superfast Intercity Express) શરૂ કરવામાં આવી છે. આ નવી ટ્રેન સાબરમતી સ્ટેશન પર ટ્રેન નંબર 19031/19032 અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ-અમદાવાદને (Ahmedabad)પણ કનેક્ટિવિટી પ્રદાન કરી રહી છે. જો કે ટ્રેન શરૂ થતાં શહેર વચ્ચેથી પસાર થતા લોકોને રેલવે ક્રોસિંગ પર ઉભા રહેવું પડશે તેમજ ટ્રાફિક પણ સર્જાઈ શકે છે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આ ટ્રેન નંબર 09538નું 22મી ઓક્ટોબરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. ભાવનગર -સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી રહી છે. આ ટ્રેન ભાવનગરથી 11.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 16:00 કલાકે સાબરમતી પહોંચી હતી. તેવી જ રીતે, પરત ફરવાની દિશામાં, તે જ દિવસે એટલે કે 22મી ઓક્ટોબરના રોજ આ ટ્રેન 09537 સાબરમતી- ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે દોડી અને સાબરમતીથી 16.30 કલાકે ઉપડી અને તે જ દિવસે 21:00 કલાકે ભાવનગર પહોંચી.

તેમજ ટ્રેન નંબર 20966 ભાવનગર – સાબરમતી સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેની નિયમિત સેવામાં 23મી ઓક્ટોબરથી ભાવનગરથી દરરોજ 06.00 કલાકે ઉપડી હતી અને તેવી જ રીતે ટ્રેન નંબર 20965 સાબરમતી – ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ સાબરમતીથી દરરોજ 16.00 કલાકે ઉપડી હતી.

રેલવે ક્રોસિંગ પર ટ્રાફિકની સમસ્યા સર્જાશે

આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, વસ્ત્રાપુર અને ગાંધીગ્રામ સ્ટેશન પર ઉભી રહેશે. જેના કારણે ટ્રેન અમદાવાદ શહેર વચ્ચેથી પસાર થતા શહેરના નવરંગપુરા, સંઘવી હાઈસ્કૂલ, વિજયનગર સહિત અલગ અલગ રેલવે ક્રોસિંગ બંધ કરવાની ફરજ પડશે. જેના કારણે ટ્રાફિક સર્જાશે. જેથી લોકોએ તે સમય કાઢીને નીકળવું પડશે તેવું લાગી રહ્યું છે.

આ ટ્રેનમાં એસી 3-ટાયર, સેકન્ડ ક્લાસ સીટિંગ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે. પ્રારંભિક ટ્રેન નંબર 09538/09537 માટે બુકિંગ ખુલ્લું છે અને નિયમિત ટ્રેન નંબર 20966/20965 માટે બુકિંગ 22મી ઑક્ટોબરથી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ કરાયુ છે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

Follow Us
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
g clip-path="url(#clip0_868_265)">