અમદાવાદના દાણીલીમડા BRTS સ્ટેન્ડ પરથી કોરોનાના દર્દીનો મૃતદેહ મળી આવવાના કેસમાં CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. CMએ 24 કલાકમાં જ તપાસનો અહેવાલ આપવાની સૂચના આપી છે. ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સોંપવાનો CMએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત CMએ જવાબદારો સામે કડક પગલા ભરવાનો પણ આદેશ આપ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે દાણીલીમડાના રોહિતવાસના વૃદ્ધ ગણપત મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 10મી તારીખે તેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દાણીલીમડાના BRTS બસ સ્ટેન્ડ પરથી આ કોરોના દર્દીનો મૃતદેહ મળ્યો હતો. અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સીધા જ BRTS બસ સ્ટેન્ડ પરથી મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી અને વહીવટી તંત્રની ઘોર અને ગંભીર બેદરકારી ફરી સામે આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:18 am, Sun, 17 May 20