
અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’નો મુખ્ય સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના ઐતિહાસિક અને વૈશ્વિક કાર્યો, તથા તેમની દિવ્ય ગુણોની ઝલક દેખાઈ.
પ્રસંગની શરૂઆત આંબલીવાળી પોળથી અક્ષરધામ સુધીની પ્રસ્તુતિઓ, વીડિયો અને સંબોધનોના અનોખા સમન્વય સાથે થઈ. ૭૫ અલંકૃત ફ્લોટસમાં પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની છવિ સાથે રામાયણ, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત અને વચનામૃતમાં વર્ણીત સંતલક્ષણોને દર્શાવતો દૃશ્યમાન કાર્યક્રમ હતો. આ ફ્લોટસ 9 ડિસેમ્બર સુધી અટલ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે પ્રદર્શિત રહેશે.
સમૂહ આરતી દરમિયાન 50,000 ભક્તો દ્વારા ઉત્સવમય દૈદીપ્યમાન અર્ઘ્ય રજૂ કરાયું, જે દૃશ્યો અદ્ભુત અને અંતરાત્માને સ્પર્શી લેવા લાયક હતા.
Ahmedabad hosts grand ‘Pramukh Varni Amrit Mahotsav’ with 50,000 devotees | Gujarat | TV9Gujarati#AhmedabadNews #BAPS #Swaminarayan #PramukhVarniAmritMahotsav #ReligiousEvent #BreakingNews #Gujarat #TV9Gujarati pic.twitter.com/llgWGC4z8Q
— Tv9 Gujarati (@tv9gujarati) December 7, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યું કે, “પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેવું મારું સૌભાગ્ય છે. પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજાથી જોડ્યા છે. તેમણે સનાતન ધર્મની સંતસંસ્થાને પુનર્જીવિત કરી છે અને સંકટના સમયમાં માર્ગદર્શક બન્યા છે. તેમનું કાર્ય દેશના સૌ સંપ્રદાયો માટે અનુકરણીય છે.”
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “પ્રમુખસ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકામાં માનવસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. આ વરણી અમૃત મહોત્સવ એ જન-જનનો ઉત્સવ છે.”
પ્રમુખસ્વામી મહારાજના જીવનગાથાને સ્ટેજ પર અનોખી રીતે રજૂ કરવામાં આવી હતી. એક બાજુ આંબલીવાળી પોળનું પ્રતિક હતું, જ્યાં 1950 માં તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા, અને બીજી બાજુ દિલ્લી અક્ષરધામનું વિશાળ પ્રતિક, જે વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થાના પ્રભાવને દર્શાવતું હતું.
સમારોહની શરૂઆત ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ પરિચયાત્મક વીડિયોથી થઈ, ત્યારબાદ બી.એ.પી.એસ.ના યુવાનો દ્વારા વિષયવસ્તુ આધારિત નૃત્ય રજૂ કરવામાં આવ્યું. વિશ્વસેવા, અહં-શૂન્યતા, શ્રદ્ધા અને વફાદારી જેવા પ્રમુખસ્વામી મહારાજના ગુણોને વિવિધ વીડિયો અને પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિના અંતે વરિષ્ઠ સંતો દ્વારા જીવનના મહત્વના પ્રસંગોની વ્યાખ્યા અને અસર દર્શાવી.
સમારોહ અંતે મહંત સ્વામી મહારાજ અને આશરે ૫૦,૦૦૦ ભક્તો સાથે આરતી યોજાઇ. બાળ, કિશોર અને યુવાનો દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુતિ આપવામાં આવી. કાર્યક્રમનું સમાપન ભવ્ય આતશબાજી અને ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવની જય’ના ઉચ્ચાર સાથે થયું.
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા ત્રણ મહિનાથી ઉત્સવની તૈયારી ચાલી રહી હતી. ૨૦ સેવાનિષ્ઠ વિભાગોમાં 7000 સ્વયંસેવકો સેવા બજાવતા હતા. અમદાવાદની ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ભક્તો બસ દ્વારા પહોંચાડવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સુવ્યવસ્થિત આયોજન માટે પૂરતો સહયોગ મળી રહ્યો હતો.
ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે