Ahmedabad: ગરમીમાં પાણીની જરુરિયાતોને પુરી પાડવા તંત્રના પ્રયાસ, લોકોને આપવામાં આવ્યા ખાસ સૂચન

|

May 18, 2022 | 10:27 AM

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી અગન (Heat) વર્ષા થઇ રહી છે. જેનાથી લોકો ત્રસ્ત છે. કેમ કે ગરમીમાં લોકોનું બહાર નીકળવું કપરું બન્યું છે. જેનાથી રાહત આપવા માટે AMC સતત પ્રયાસ કરી રહ્યું છે.

Ahmedabad: ગરમીમાં પાણીની જરુરિયાતોને પુરી પાડવા તંત્રના પ્રયાસ, લોકોને આપવામાં આવ્યા ખાસ સૂચન
Water કrisis (Symbolic Image)

Follow us on

રાજ્યમાં ગરમીનો (Heat) પ્રકોપ યથાવત છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં 40 ડિગ્રી ઉપર તાપમાન (Temperature) નોંધાઈ રહ્યું છે. તો ચાલુ સીઝનમાં 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ ચૂક્યું છે. જે ગરમી વચ્ચે શહેરમાં AMCએ અલાયદી વ્યવસ્થા કરી તો કેટલાક સ્થળે પાણી સમસ્યા (Water Crisis) પણ સર્જાઈ. ત્યારે જોઈએ કે અમદાવાદ જિલ્લામાં તંત્ર દ્વારા ખાસ તકેદારી રખાઈ રહી છે. લોકોને સમસ્યા ન સર્જાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવા પત્રિકા વિતરણ પણ શરુ કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી અગન વર્ષા થઇ રહી છે. જેનાથી લોકો ત્રસ્ત છે. કેમ કે ગરમીમાં લોકોનું બહાર નીકળવું કપરું બન્યું છે. જેનાથી રાહત આપવા માટે AMC સતત પ્રયાસ કરી રહ્યું છે. જે પ્રયાસના ભાગ રૂપે AMCએ તેના દરેક અર્બન સેન્ટર પર ORS સહિતની વ્યવસ્થા ઉભી કરી છે. તે જ રીતે જિલ્લા કલેકટર તંત્રએ પણ તેમના વિસ્તારમાં જરૂરી પ્રયાસ કર્યા છે. જેથી ગરમીની સીધી અસર લોકો પર ન પડે.

અમદાવાદ જિલ્લા વિસ્તારમાં સ્ટાફ મારફતે વ્યવસ્થા કરવામાં આવી છે. સમસ્યા હલ કરવા માટે પેમ્ફલેટનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે, નાના બાળકો અને સગર્ભા મહિલાને બહાર નહિ નિકળવા સુચના, બહાર નિકળે તો છત્રી સાથે બહાર નિકળવા સુચના, પાણી સતત પીવા સુચના, તાપ લાગે તો બેસી જવા અને લીંબુ શરબત પીવાની સલાહ અપાઈ છે. તો પાણી સાથે સેન્ટર પર ORS પણ રખાયા છે, કોઇને ડિહાઈડ્રેશન થાય તેવી સ્થિતિમાં તે વ્યક્તિને તેને આપવામા આવે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં ઓઢવ, સરખેજ સહિત કેટલાક સ્થળે ટેન્કર રાજ જોવા મળે છે. તો કયાંક ટેન્કરો દ્વારા લોકો પાણીની જરૂરિયાત પુરી કરે છે. આવી સ્થિતિમાં અમદાવાદ જિલ્લામાં સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા તંત્ર સતત નજર રાખી રહ્યું છે. જેને લઈ એડિશનલ જિલ્લા કલેકટરે નિવેદન આપતા જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા વ્યવસ્થા કરાઈ છે, 481 ગામમા યોજના મારફતે પાણી અપાય છે.

ખોડીયાર, લીલાપુર અને લપકામણ આ ત્રણ ગામે પોતાની પાણીની યોજના છે. જેથી જિલ્લામા કોઈ પણ સ્થળે ટેન્કર મારફતે પાણી પુરુ પાડવાની ફરજ પડતી નથી. જે ગરમી વચ્ચે એક સારા અને રાહતના સમાચાર ગણી શકાય. જિલ્લા તંત્ર દ્વારા તેમના વિસ્તારમાં જરૂરી ધ્યાન અપાઈ રહ્યું છે. તેમજ સમયાંતરે જરૂરી મીટિંગ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી કોઈ સમસ્યા હોય તો તે દૂર કરી શકાય અને જિલ્લાને ગરમીની અસરથી બચાવી શકાય.

Published On - 6:33 pm, Tue, 17 May 22

Next Article