AHMEDABAD : શહેરમાં ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઈન પર જગતપુર ક્રોસિંગ પાસેના ઓવરબ્રિજનું કામ વિવાદમાં સપડાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને સિદ્ધિ ગ્રુપ (Sidhdhi Group) વચ્ચે પહેલા PPP મોડલ પર બ્રિજ બનાવવા સહમતિ સધાઈ હતી.ઓવરબ્રિજના ખર્ચ પેટે સિદ્ધિ ગ્રુપે 25 ટકા રકમ આપવા તૈયારી દર્શાવી હતી.જો કે કામ શરૂ થયા બાદ હવે સિદ્ધિ ગ્રૂપે ફેરવી તોળ્યું છે.સિદ્ધિ ગ્રૂપે AUDAમાં કેટલાક પ્લાન પાસ કરાવવાની શરત મૂકી છે..આ મુદ્દે AMCના અધિકારીઓ સિદ્ધિ ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યાં છે. સિદ્ધિ ગ્રુપે હવે પૈસા આપવાની ના પાડી તો પહેલા શું માત્ર વાહવાહી મેળવવા જાહેરાત કરી હતી? શું કોરોના કાળમાં જૂથની આર્થિક સ્થિતિ કથળી છે કે પછી બ્રિજની રકમ આપ્યા પહેલા પોતાના કેટલાક પ્લાન ઝડપથી પાસ કરાવવાનો સિદ્ધિ ગ્રૂપનો ઈરાદો છે?
આ પણ વાંચો : AHMEDABAD : પ્રથમવાર જગન્નાથ મંદિરના પરિસરમાં યોજાઈ અમદાવાદ પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ
આ પણ વાંચો : Ahmedabad : પુસ્તકો વિના કેમ ભણશે ગુજરાત ? હજી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી !