AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગૌતમ અદાણીને મળવા સામેથી તેમની ઓફિસે પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન, જાણો શું છે કારણ

બ્રિટનના વડાપ્રધાન સામે ચાલીને એક ગુજરાતી ઉદ્યોગપતિની ઓફિસે જાય તે પણ એક મોટી ઘટના છે. અદાણી શાંતિગ્રામ સ્થિત ગૌતમ આદણીની ઓફિસ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન પહોંચ્યા હતા, અને ત્યાં તેમણે ગૌતમ અદાણી સાથે મુક્ત મને ચર્ચા કરી હતી.

Ahmedabad: ગૌતમ અદાણીને મળવા સામેથી તેમની ઓફિસે પહોંચ્યા બ્રિટનના વડાપ્રધાન, જાણો શું છે કારણ
Ahmedabad British Prime Minister Boris Johnson has arrived at Gautam Adani office to meet him
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 1:38 PM
Share

અમદાવાદમાં પધારેલા બ્રિટનના PM બોરીસ જોન્સન (British Prime Minister Boris Johnson)  સાથે ટોચના અધિકારીએ અને ઉદ્યોગપતિઓ (Businessmen) એ મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને બ્રિટનના PM વચ્ચે ખાસ મુલાકાત થઈ હતી. અદાણી શાંતિગ્રામ સ્થિત અદાણી હાઉસમાં સામે ચાલીને ગયેલા પીએમ બોરિસ જોન્સને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. લંડનમાં બની રહેલા ગ્રીન એનર્જી રિવોલ્યુશન મ્યૂઝિયમને અદાણી ફંડ આપવાના છે. આ અગાઉ ગૌતમ અદાણી અને બોરિસ જોન્સન વચ્ચે ઓક્ટોબર મહિનામાં થયેલી મુલાકાતમાં આ બાબતે ચર્ચા બાદ આ ફંડિંગની જાહેરાત થઈ હતી. કલાઈમેટ ચેન્જ વિષય આધારિત આ મ્યુઝિયમ ઐતિહાસિક મ્યુઝિયમ હશે.

મહત્ત્વની વાત છે કે ઇંગ્લેન્ડના એક વડાપ્રધાન ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ સ્થિત અદાણીની ઓફિસે પહોંચ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન સામે ચાલીને એક ગુજરાતી ઉદ્યોગપતિની ઓફિસે જાય તે પણ એક મોટી ઘટના છે. અદાણી શાંતિગ્રામ સ્થિત ગૌતમ આદણીની ઓફિસ ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સન પહોંચ્યા હતા, અને ત્યાં તેમણે ગૌતમ અદાણી સાથે મુક્ત મને ચર્ચા કરી હતી.

બ્રિટન અત્યારે બહારના દેશોમાંથી રોકાણ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે જ બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન ગુજરાતમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરવા આવ્યા છે. ગૌતમ અદાણીએ પહેલાંથી જ ત્યાં રોકાણ કરવાની જાહેરાત કરી દીધી છે અને અદાણી વિદેશમાં પોતાનો વ્યવસાય વિસ્તારી રહ્યા છે ત્યારે તે બ્રિટનમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના આ બંનેની મુલાકાત બાદ જણાઈ રહી છે. બ્લૂમ્બર્ગ બિલિયોનર ઈંડેક્સના અહેવાલ પ્રમાણે આ વર્ષે સંપત્તિ વધારવામાં ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના ધનપતિ જેફ બેજોસ અને ઈલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે. અને એટલે જે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગૌતમ અદાણીને મળવા પહોંચ્યા હતા. અને પોતાના દેશમાં અદાણી ગ્રુપ નિવેશ કરે તે માટેની સંભાવાનો પણ તપાસી હતી.

અદાણી સમૂહની સાત કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ સિવાય અદાણી ટ્રાન્સમિશન સામેલ છે. બોરિસ જોન્સન પણ પવનની દિશા પારખી અદાણીને બ્રિટનમાં રોકણ કરવા આકર્ષી રહ્યાં હોય તેવી પણ ચર્ચા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરઃ મિશન ગુજરાત પર ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે

આ પણ વાંચોઃ  Surat : ગોડાદરામાં 6 વર્ષનો બાળક ટેરેસની પાણીની ટાંકીમાંથી મૃત હાલતમાં મળ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">