AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોરિસ જોન્સન આજે ગુજરાત પહોંચશે, યુક્રેનને લઈને ભારત પર દબાણ કરવાથી બચશે

Boris Johnson's India visit બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરશે. બંને દેશ આ મુદ્દે પોતપોતાના દેશનો દ્રષ્ટિકોણ રાખશે. પરંતુ હવે આ મુદ્દે બ્રિટન તરફથી સલાહ કે દબાણ આવવાની કોઈ શક્યતા નથી. સૂત્રોએ આ માહિતી આપી છે.

બોરિસ જોન્સન આજે ગુજરાત પહોંચશે, યુક્રેનને લઈને ભારત પર દબાણ કરવાથી બચશે
PM Narendra Modi and Boris Johnson (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 7:12 AM
Share

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) બે દિવસની ભારત મુલાકાતના ભાગરૂપે ગુરુવારે સીધા અમદાવાદ પહોંચશે અને 22મીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે બેઠક કરશે. આ મુલાકાત સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine war) અંગે ચર્ચા થશે. તેનું કારણ એ છે કે વર્તમાન સમયે આ એક મહત્વપૂર્ણ ઘટના છે. જે સમગ્ર વિશ્વને અસર કરી રહી છે. જોન્સનની મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધના પગલે નથી થઈ રહી, પરંતુ તે પહેલાથી જ આયોજીત હતી. ભૂતકાળમાં બોરિસ જોન્સનનો પ્રવાસ બે વખત રદ કરવામાં આવ્યો હતો. તેથી રશિયા-યુક્રેન યુદ્ધ પ્રવાસનો મુખ્ય મુદ્દો નથી.

અમેરિકા હેરાન પરેશાન

સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના તટસ્થ વલણ અને રશિયા સાથે ચાલી રહેલા વેપાર સંબંધોને લઈને બ્રિટન ભારતને કોઈ સલાહ આપશે નહીં. વાસ્તવમાં ભારત રશિયા પાસેથી વધારાનું ઈંધણ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા અને તમામ પશ્ચિમી દેશો આ અંગે દ્વિધામા છે.

પરંતુ તાજેતરમાં ભારત-દિલ્હીમાં આવેલા, યુકેના વિદેશ મંત્રીએ અને થોડા દિવસ અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે યુરોપ ભારત કરતાં અનેક ગણું વધુ ઈંધણ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ભારતની આ નિખાલસતા બાદ બ્રિટનના વલણમાં બદલાવ આવ્યો છે. તેમના તરફથી એવા સંકેતો મળ્યા છે કે તેઓ આ મુદ્દે ભારત પર કોઈ દબાણ લાવવાના પક્ષમાં નથી.

શાંતિ માટે ભૂમિકા ભજવવા ઈચ્છુક

જોન્સન અને મોદીની વાતચીત દરમિયાન રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ શોધવા પર કોઈ ચર્ચા થઈ શકે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા સૂત્રોએ જણાવ્યું હતું કે બંને દેશના વડા પ્રધાનો વચ્ચે કેવી રીતે ચર્ચા થશે તે અગાઉથી કહી શકાય તેમ નથી. ચર્ચાના પરિમાણો વિવિધ હોઈ શકે છે. જોન્સનને તાજેતરમાં યુદ્ધમાં ખંડેર બની ચૂકેલા યુક્રેનનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટે કોઈપણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

રોકાણકારો સાથે મુલાકાત કરશે

જોન્સન 21 એપ્રિલે અમદાવાદમાં રોકાણકારો સાથે સીધી બેઠક કરશે. હકીકતમાં, યુકેમાં લગભગ અડધા ભારતીયો ગુજરાતના છે. પ્રથમ વખત બ્રિટિશ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

વેપાર-રક્ષણ અંગે પણ ચર્ચા થશે

જોન્સન બેઠકમાં મોદી સાથે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર ચર્ચા કરશે. આ અંગે બંને દેશો વચ્ચે હજુ ત્રીજા રાઉન્ડની વાતચીત બાકી છે, પરંતુ આ મુલાકાતથી પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત બંને વડાપ્રધાનો વચ્ચે વેપાર, સંરક્ષણ સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા થશે.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચોઃ

કોરોના કાળમાં ઘરે રહેવા અને મોબાઈલ ચલાવવાથી પતિ-પત્નીના સંબંધો તૂટ્યા ! ઝાંસીમાં એક હજારથી વધુ સામે આવ્યા ઘરેલુ હિંસાના કેસ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">