Ahmedabad: મહાનગરોમાં પણ રખડતા ઢોરોનો આતંક, વૃદ્ધ પર કરેલા હુમલામાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

અમદાવાદમાં (Ahmedabad) રખડતા ઢોરોનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે. રાયપુરમાં ગાયે ભેટું મારતાં એક વ્યક્તિનું મોત થયું છે. રાયપુર વિસ્તારમાં ગાયે શિંગડું મારવાની આ ઘટના 11 જુલાઈએ ઘટી હતી.

Ahmedabad: મહાનગરોમાં પણ રખડતા ઢોરોનો આતંક, વૃદ્ધ પર કરેલા હુમલામાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત
Stray cattle (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 10:53 AM

ગુજરાતમાં (Gujarat) રખડતા આખલાનો ત્રાસ ન હોય તેવી ભાગ્યે જ કોઈ મહાનગરપાલિકા કે પાલિકા હશે. આ રખડતી રંઝાડમાંથી નાગરિકોને મુક્તિ મેળવવી મુશ્કેલ બની ગઇ છે. સરકારે અગાઉ આ માટે કાયદો લાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં રાજ્યભરમાં થયેલા વિરોધ બાદ તેને મોકુફ રાખવામાં આવ્યો હતો. જો કે આ રખડતા ઢોરથી (Stray cattle) હજુ પણ પ્રજા ખૂબ જ પરેશાન છે. અમદાવાદમાં (Ahmedabad) અનેક સ્થળે રખડતા ઢોરો રસ્તા પર અડિંગો જમાવીને બેસી જાય છે. તાજેતરમાં જ અમદાવાદમાં રખડતા ઢોરના હુમલાથી એક વ્યક્તિનું મોત થયુ છે.

ગાયે શિંગડુ મારતા એકનું મોત

અમદાવાદમાં રખડતા ઢોરોનો ત્રાસ હવે જીવલેણ બની ગયો છે. રાયપુરમાં ગાયે ભેટું મારતાં એક વ્યક્તિનું મોત થયું છે. રાયપુર વિસ્તારમાં ગાયે શિંગડું મારવાની આ ઘટના 11 જુલાઈએ ઘટી હતી. અહીં ગામડીવાળા બિલ્ડિંગમાં રહેતા 66 વર્ષીય દીપકચંદ્ર જગન્નાથ ત્રિવેદી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમને ગાયે શીંગડું મારતાં રસ્તા પર પડી ગયા હતા. ત્યારબાદ ગાયે ફરી મારવા માટે શીંગડું ઉગામતા તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગાય સહિતનાં ઢોરોને ત્યાંથી હાંકી કાઢીને તેમને વધુ મારથી બચાવ્યા હતા. જો કે ગાયના હુમલામાં દીપકચંદ્ર ત્રિવેદીને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક મણિનગરની એલ. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સત્તાધીશોનો રખડતા ઢોર પકડવાના દાવા માત્ર કાગળ પર

મહત્વનું છે કે અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. અમદાવાદ શહેરના સત્તાધીશો ફક્ત ગાયો પકડવાના દાવા કરે છે પરંતુ હજુ સુધી કાર્યવાહી ફક્ત કાગળ પર જ થતી જણાય છે. શહેરના મોટાભાગના રસ્તાઓ પર ગાયો અડીંગો જમાવીને બેઠી હોય છે. લોકોને રસ્તા પરથી પસાર થવાનો પણ ડર લાગે છે. તેમ છતાં નઘરોળ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. સવાલ એ છે કે શહેરીજનો પાસેથી ટેક્સ વસૂલતું AMC કેમ નિંદ્રાધીન છે? સ્માર્ટસિટીના લોકોને ક્યાં સુધી આવી નર્કાગાર જિંદગી જીવવા મજબૂર કરાશે?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">