ઈસનપુરની શાળામાં વિદ્યાર્થીને આંખમાં પરિકર મારી દેતા ગંભીર સ્થિતિ, આંખની કીકીનું કરાયુ ઓપરેશન, વિઝન અંગે કંઈ કહી ન શકાય- જુઓ Video

અમદાવાદની એક બાદ એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક હુમલાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હજુ સેવન્થ ડે સ્કૂલની ઘટનાને એક વર્ષ પણ પૂરુ થયુ નથી ત્યાં ફરી ઈસનપુરની એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો કરવામાં આવ્યો. જ્યા બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડામાં વચ્ચે પડેલા અન્ય એક વિદ્યાર્થીને આંખમાં ચાકુ મારી દેવામાં આવ્યુ અને હાલ વિદ્યાર્થિની સ્થિતિ ઘણી ગંભીર બતાવવામાં આવી રહી છે.

ઈસનપુરની શાળામાં વિદ્યાર્થીને આંખમાં પરિકર મારી દેતા ગંભીર સ્થિતિ, આંખની કીકીનું કરાયુ ઓપરેશન, વિઝન અંગે કંઈ કહી ન શકાય- જુઓ Video
| Edited By: | Updated on: Apr 21, 2026 | 6:10 PM

અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલાની ઘટના સામે આવી છે. ઈસનપુરની પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર હિચકારો હુમલો થયો. અન્ય વિદ્યાર્થીઓના ઝઘડાનો ભોગ આ 14 વર્ષનો સગીર બન્યો. સમગ્ર ઘટનાક્રમ કંઈક એવો હતો કે ભોગ બનનાર વિદ્યાર્થીના મિત્રની અન્ય વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી અને તે ઝઘડી રહ્યા હતા તે દરમિયાન ભોગ બનનાર મિત્ર વચ્ચે પડી તેના મિત્રને બોલાવા ગયો અને ઉશ્કેરાયેલા એક વિદ્યાર્થીએ તેની પાસે રહેલુ પરિકર કાઢીને વિદ્યાર્થિની આંખમાં મારી દીધુ.

જુઓ Video

આ હુમલાને કારણે ભોગ બનનારને આંખમાં અતિશય પીડા થઈ, લોહી બહાર આવવા લાગ્યુ અને તેને એ આંખમાં દેખાતુ પણ બંધ થઈ ગયુ. આ હિચકારા હુમલા બાદ શાળામાં થોડીવાર માટે દોડધા મચી ગઈ. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના માતાપિતાને જાણ કરવામાં આવી. આ સમગ્ર મુદ્દે ભોગ બનનાર વિદ્યાર્થીના માતા હિના શેખ દ્વારા શાળા સામે આક્ષેપ કરાયો છે કે શાળાએ ઘટના પ્રત્યે ગંભીરતા ન બતાવી અને તેના પુત્રને હોસ્પિટલે ન લઈ જવાયો. માતાના પહોંચ્યા બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જે બાદ ત્યાંના તબીબોએ તેને તાત્કાલિક આંખની હોસ્પિટલમાં ખસેડવા જણાવ્યુ.

ત્યારબાદ માતા હિના શેખ પુત્રને લઈને એલજી હોસ્પિટલથી અસારવા સિવિલ પહોંચ્યા હતા. જ્યાં ફરી તમામ પરીક્ષણો કરાયા બાદ રાત્રે 9 વાગ્યે તેની કીકીનું ઓપરેશન કરવામાં આવ્યુ. હોસ્પિટલ તંત્ર સામે પણ માતાએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલે પણ ઘટનાની ગંભીરતાને ન જોતા પહેલા સારવારને બદલે પોલીસ ફરિયાદ નોંધાવવા પર ધ્યાન આપ્યુ હતુ. હાલ અન્ય બાળકોના ઝઘડામાં પોતાનો પુત્ર આંખ ગુમાવે તેવી કરૂણ સ્થિતિ સર્જાતા માતાની આંખમાં પણ આંસુ સુકાઈ નથી રહ્યા. ભોગ બનનાર વિદ્યાર્થિની આંખના વિઝન અંગે તબીબનું પણ કહેવુ છે કે હાલ બાળક સારવાર હેઠળ છે અને કેટલુ વિઝન છે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી.

કુંડલીમાં મંગલદોષનો પ્રભાવ હોય તો આ ઉપાયો દ્વારા મેળવો રાહત- વાંચો

Published On - 6:10 pm, Tue, 21 April 26

Follow Us