AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ મામલે FSLને સાથે રાખી કરાયુ પંચનામુ, ડી ડિવિઝન ACPને સોંપાઈ તપાસ

Ahmedabad News : આગ લાગવા પાછળનું કારણ જાણવા FSLની મદદ લેવાઈ છે. FSLની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા.

Ahmedabad : વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ મામલે FSLને સાથે રાખી કરાયુ પંચનામુ, ડી ડિવિઝન ACPને સોંપાઈ તપાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 4:01 PM
Share

અમદાવાદના (Ahmedabad) બાપુનગરના વિકાસ એસ્ટેટમાં આગના કેસમાં તપાસ ચાલી રહી છે. આગ લાગવા પાછળનું કારણ જાણવા FSLની મદદ લેવાઈ છે. FSLની ટીમ દ્વારા એસ્ટેટમાંથી વીડિયોગ્રાફી સાથે નમૂના લેવાયા હતા. FSLને સાથે રાખી પોલીસે સ્થળ પર પંચનામું કર્યુ હતુ. ફાયર વિભાગના અધિકારીઓની હાજરીમાં પંચનામું કરાયુ હતુ. આગના કેસની તપાસ ડી ડિવિઝન ACP હિરેન્દ્ર ચૌધરીને સોંપાઈ છે. FSLના રિપોર્ટ બાદ બેદરકારી દાખવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.હાલ શહેરકોટડા પોલીસએ જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરતના જીલાની બ્રિજ નીચે કચરામાં લાગેલી આગ ઝુંપડાઓમાં ફેલાઇ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી

શું હતી સમગ્ર ઘટના ?

અમદાવાદના બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડાના ગોડાઉનમાં બે દિવસ પહેલા આગ લાગી હતી. આગની ઘટનામાં મોટાપાયે નુકસાન થયુ હતુ. આગમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સાથે જ ફાયરના 2 જવાનો પણ દાઝ્યા હતા. ભીષણ આગને પગલે એકસાથે 25 દુકાન સળગી ગઈ હતી. એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો છે. આગ લાગી એ વિકાસ એસ્ટેટમાં 180 ગોડાઉન છે. 180 પૈકી 40 ગોડાઉનમાં ફટાકડાની દુકાનો છે. ત્યારે લાગેલી આગ એટલી ગંભીર હતી કે એને બુઝાવવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની 23થી વધુ ગાડીઓ કામે લાગી હતી.

Gujarati Video : જૂનાગઢમાં ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ, કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે

આ આગ લાગવા મામલે મોટો ખુલાસો સામે આવ્યો હતો. એસ્ટેટમાં આવેલા 179 શેડ પૈકી મોટાભાગના શેડ ગેરકાયદે હોવાનું જાણવા મળ્યુ છે. 179 શેડમાંથી માત્ર 17 પાસે જ લાયસન્સ હતા. વિકાસ એસ્ટેટના ચેરમેન અને વેપારીઓએ આ ખુલાસો કર્યો છે. અન્ય શેડ ગેરકાયદેસર હોવાનું ચેરમેન અને વેપારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતુ.

આ અંગે અનેકવાર મનપાનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી ન થવાના વેપારીઓએ આક્ષેપ કર્યા છે. તહેવાર આવે તે સમયે પોલીસ, ફાયર બ્રિગેડ અને AMCની ટીમ આવી દેખાડો કરતા હોવાનું વિકાસ એસ્ટેટના ચેરમેનનો દાવો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">