Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ઔડાનું તંત્ર દોડતું થયુ

ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન બ્રિજનો (Bridge under construction) વચ્ચેનો ભાગ ધરાશાયી (Collapsed) થઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

Ahmedabad: મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન ઓવરબ્રિજનો ભાગ ધરાશાયી, ઔડાનું તંત્ર દોડતું થયુ
Ahmedabad: Part of the overbridge under construction at Mahammadpura crossroads collapsed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 7:16 AM

અમદાવાદમાં (Ahmedabad) સરદાર પટેલ રિંગ રોડ પર ગત રાત્રે નિર્માણાધીન ફ્લાય ઓવરબ્રિજ (Overbridge) ધરાશાયી થતાં ઔડાનું તંત્ર દોડતું થઈ ગયું છે. ઔડાના સત્તાધીશો અને બ્રિજની કામગીરી સંભાળતા અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ કરી છે. ઔડાના અધિકારીઓ (Auda) હજુ એ જાણી શક્યા નથી કે બ્રિજ કયા કારણોસર ધરાશાયી થયો હતો. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતાં ઔડાના સત્તાધીશો પોતાના અને કોન્ટ્રાક્ટરના બચાવમાં ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.

બ્રિજની કામગીરીની દેખરેખ કરતા ઔડાના અધિકારીનું કહેવું છે કે બ્રિજના કામમાં ગુણવત્તાના કોઈ જ સવાલ ઉઠતા નથી. જેથી કોન્ટ્રાક્ટરની આમાં કોઈ ભૂલ નથી. અધિકારી એમ. કે. મોદીએ કહ્યું કે, બ્રિજની ડિઝાઈન સહિતની કામગીરી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાસે જ મંજૂર કરાવતા હોઈએ છીએ. પણ આ બધુ જ કમિટી દ્વારા નક્કી કરાશે. ટેક્નિકલ ટીમ તપાસ કરે પછી ખબર પડી શકે કે કયા કારણોસર બ્રિજ ધરાશાયી થયો છે. સત્તાધીશોનું કહેવું છે કે બ્રિજ ધરાશાયી થયો તે સમયે ઔડાના તમામ એન્જિનિયર હાજર હતા. ટ્રેસિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક વાયબ્રેશન થતાં તેઓ નીચે આવી ગયા હતા.

40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !
દુનિયાના 4 મુસ્લિમ દેશ જેની પાસે છે હજારો ટન સોનું
કયા સમયે ચિયા બીજ ખાવા વધુ ફાયદાકારક છે?
જો તમે રસોડામાં લોઢી(તવી)ને ઊંધી રાખશો તો શું થશે?
Jioનો સૌથી સસ્તો પ્લાન, 75 રૂપિયામાં મળશે 23 દિવસની વેલિડિટી
પેઢાંમાંથી વારંવાર નીકળે છે લોહી? તો જાણો કયા વિટામિનની છે કમી

ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ મહંમદપુરા ચોકડી પર નિર્માણાધીન બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ નીચે કોઈ હાજર ન હોવાથી કોઈને નુક્સાન નથી પહોંચ્યું. મળતી માહિતી પ્રમાણે, ઔડા દ્વારા રણજિત બિલ્ડકોનને બ્રિજનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે DELF કન્સલ્ટીંગ એન્જિનિયર્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપની બ્રિજની ડિઝાઈન તૈયાર કરી હતી. જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે 30 મહિનામાં જ બ્રિજનું કામ પૂર્ણ કરી આપવાની જવાબદારી નિર્ધારિત કરાઈ હતી. જે મુજબ આ કામ 4 સપ્ટેમ્બર 2021 સુધીમાં પૂર્ણ થઈ જવું જોઈતું હતું. કામ હજુ ચાલું હતું અને ફેબ્રુઆરીમાં તેનું લોકાર્પણ થવાનું હતું.

ટેન્ડર મુજબ બ્રિજ બનાવવાનો ખર્ચ 78.48 કરોડ નિર્ધારિત કરાયો હતો. જ્યારે બ્રિજ બનાવવાની અંદાજિત કિંમત રૂપિયા 66.79 કરોડથી વધુ નિર્ધારિત કરાઈ હતી. આવી દુર્ઘટનાથી લોકોને હવે કામગીરી પર વિશ્વાસ નથી રહ્યો. ઘટનાને લઈ સ્થાનિકોની માગ છે કે બ્રિજના કામ સંભાળતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો-

Ahmedabad : 7 વર્ષનું બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયું, તબીબોએ ભારે જહેમત બાદ બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો

આ પણ વાંચો-

Ahmedabad : એમ.જે. લાઇબ્રેરીમાં 207 વર્ષ જૂના હેરિટેજ પુસ્તકને સાચવવામાં આવ્યું

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદના નરોડામાં પાડોશીઓ વચ્ચે મારામારી, છરી વડે હુમલામાં 2 ગંભીર
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
અમદાવાદ : નિકોલમાં ટાઉન પ્લાઝા કોમ્પલેક્ષમાં બોમ્બ હોવાની અફવા
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
પદ ટકાવી રાખવા મે ક્યારેય જી હજુરી નથી કરી- શક્તિસિંહ ગોહિલ
g clip-path="url(#clip0_868_265)">