Ahmedabad : નવરાત્રિની ઉજવણી બાબતે થઇ રહી છે વિચારણા, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકાર સજ્જ : ઋષિકેશ પટેલ

બીજી તરફ કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારે નવરાત્રી ઉજવાશે કે નહીં તેના પર હજુ અસમંજસની સ્થિતિ છે. જેને લઈ આરોગ્ય પ્રધાને સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે નવરાત્રીની ઉજવણીને લઈ સરકાર વિચારણા કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 2:35 PM

રાજયના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે સોલા સિવિલમાં ઉદભવતી કેટલીક સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા ખાતરી આપી હતી. આ ઉપરાંત, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહિવત છે. આ દાવો રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કર્યો છે.

તેમણે કહ્યું કે રાજ્ય સહિત દેશભરમાં મોટાપાયે વૅક્સીનેશન થઈ રહ્યું છે. લોકો પણ એવું માનવા લાગ્યા છે કે કોરોના હવે જીવનનો એક ભાગ બની ગયો છે. સીરો સર્વે પણ થઈ રહ્યા છે. તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા નહીવત છે. અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો પણ તેને પહોંચી વળવા માટે સરકાર સજ્જ છે. OPDથી લઈ સર્જરી સુધીની સુવિધા સાથે હોસ્પિટલો સજ્જ છે.

બીજી તરફ કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારે નવરાત્રી ઉજવાશે કે નહીં તેના પર હજુ અસમંજસની સ્થિતિ છે. જેને લઈ આરોગ્ય પ્રધાને સારા સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે નવરાત્રીની ઉજવણીને લઈ સરકાર વિચારણા કરી રહી છે. આ વખતે સરકાર એવો નિર્ણય કરશે કે જેનાથી લોકોને પણ એવું ન લાગે કે તેમને બાંધી રાખવામાં આવ્યા છે. સરકાર વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે અને તે અંગેની ગાઈડલાઈન્સ પણ બહાર પાડશે.

મા કાર્ડને લઈ અત્યારે લોકોને પડી રહેલી સમસ્યાઓનો ટૂંક સમયમાં જ ઉકેલ આવશે. રાજ્ય સરકાર 23 સપ્ટેમ્બરથી મા કાર્ડ અંગેનું અભિયાન ચલાવવા જઈ રહી છે. હાલમાં મા કાર્ડ અને કેન્દ્રના PMJYના ક્લબિંગનું કામ ચાલી રહ્યું છે. બંને કાર્ડના ક્લબિંગ બાદ લોકોને વ્યક્તિગત મા કાર્ડ આપવામાં આવશે. પહેલા પરિવારના પાંચ સભ્યો જ લાભ લઈ શકતા હતા. તેની જગ્યાએ હવે પરિવારના તમામ સભ્યો યોજનાનો લાભ લઈ શકશે. હોસ્પિટલમાં પણ ફક્ત બેથી ત્રણ કલાકમાં જ સારવારની મંજૂરી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આરોગ્યપ્રધાને દાવો કર્યો કે આ યોજનાથી રાજ્યના 80 લાખ પરિવારને લાભ મળશે.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">