AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ : રાજ્યમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો

સોલા સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર સપ્તાહના 1 હજાર 391 દર્દી નોંધાયા છે.

અમદાવાદ : રાજ્યમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 8:47 AM
Share

હાલ રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. દિવસે ગરમી તો રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જેના કારણે રોગચાળાનો ભરડો પણ વધી રહ્યો છે. તેમાં પણ વાત કરીએ અમદાવાદની તો અહીં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વાયરલ ઇન્ફેક્શનના કારણે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં રીતસરની કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Auction Today : અમદાવાદના ઘંટાકર્ણ મોલમાં દુકાનની ઇ-હરાજી , જાણો વિગતો

સોલા સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી, તાવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમવાર સપ્તાહના 1 હજાર 391 દર્દી નોંધાયા છે. અહીં થોડા દિવસો પહેલા 500થી 800 જેટલી ઓપીડી રહેતી હતી. પરંતુ હવે સ્થિતિ એવી છે કે, છેલ્લા બે દિવસથી આ ઓપીડી 1900 સુધી પહોંચી છે.

આ દર્દીઓને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે. તો બાળકોમાં પણ ઇન્કેશનના કેસ વધ્યા છે. સતત કેસ વધવાના કારણે સોલા સિવિલમાં કેસ નોંધાવવાની બારીનો સમય સવારે 9ના બદલે સવારે 8 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. તો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર ઓપીડી નહીં પણ એક્સરે, સોનોગ્રાફી, મેડિસિન વિભાગમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.

રાજ્યમાં વાયરલ રોગચાળો વકર્યો

આ તરફ રાજકોટમાં બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળામાં વધારો નોંધાયો હતો. એક અઠવાડિયામાં વાયરલના 614 કેસ સામે આવ્યા હતા. ડેન્ગ્યુના બે, શરદી, ઉધરસ અને તાવ સહિતના 614થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. મેલેરીયા અને ચીકન ગુનીયાનો કોઈ કેસ આવ્યો નથી. સાથે જ સિઝનલ રોગચાળાના દર્દીઓમાં વધારો થયો હતો.

આ અઠવાડીયામાં શરદી-ઉધરસના કેસની સંખ્યા વધીને 481 પાર પહોંચી હતી. જયારે ખોરાકજન્ય અને પાણીજન્ય ઝાડા-ઉલ્ટીના 83 દર્દી નોંધાયા હતા. આ સપ્તાહમાં તાવના પણ વધુ 47 દર્દી ચોપડે ચડયા હતા. આગામી સપ્તાહમાં હજુ વાયરલ રોગચાળાના કેસમાં વધારો થઈ શકે છે તેવો આરોગ્ય અધિકારીનો દાવો હતો.

જામનગરની જી.જી હોસ્પિટલમાં 200 બેડ પર 500 જેટલા બાળ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા હતાં. ત્યારે બાળકોના વોર્ડમાં ખાટલા ખૂટી પડ્યાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી એક ખાટલામાં એકથી વધુ અને કેટલાક વોર્ડમાં ખાટલા ન મળતા જમીન ઉપર પણ બાળકોને સારવાર આપવાની ફરજ ઊભી થઈ હતી. હોસ્પિટલના બાળ વિભાગે વધુ વોર્ડ અને સ્ટાફની માગ કરવામાં આવી હતી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">