AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે આચરી ઠગાઈ, ગુના નિવારણ શાખાએ 3 આરોપીની કરી ધરપકડ

કલર મર્ચન્ટ કોપરેટીવ બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે ઠગાઈ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 આરોપીની કરી ધરપકડ, મોર્ગેજ લોનની ડીડમાં સુધારા કરવાના બહાને કરી હતી છેતરપિંડી. આ આરોપીઓના કારણે અગાઉ એક દંપતી સહિત 4 લોકોએ હાઇકોર્ટમાં ફિનાઇલ પીધું હતું.

Ahmedabad: બેંકના ચેરમેન અને મેનેજર દ્વારા લોનના નામે વેપારીઓ સાથે આચરી ઠગાઈ, ગુના નિવારણ શાખાએ 3 આરોપીની કરી ધરપકડ
Mihir Soni
| Edited By: | Updated on: Aug 09, 2023 | 5:59 PM
Share

કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ અને એજન્ટો દ્વારા લોન ના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં (ECO) નોંધાઈ હતી. આ ઠગાઈ કરનાર આરોપી બેંક મેનેજર અતુલ શાહ જનરલ મેનેજર કિન્નર શાહ અને ચેરમેન વિમલ પરીખ છે. આ આરોપી દ્વારા અનેક લોકોને લોન આપવાના બહાને દસ્તાવેજ મેળવી લઈને ઠગાઈ કરતા હતા.

અમદાવાદના એક વેપારીને મોર્ગેજ લોનની ડીડમાં સુધારો કરવાના બહાને કલર મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંકના મેનેજર, જનરલ મેનેજર, ચેરમેન અને એજન્ટો દ્વારા ખોટા દસ્તાવેજો અને સહી સિક્કા કરીને વેપારીની જાણ બહાર રૂ 55 લાખની મોર્ગેજ લોન મંજૂર કરીને વેપારીના કરંટ ખાતામાં નાણાકીય વ્યવહાર કર્યો હતો આ કાવતરાને લઈને EOW માં ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી.

લોનના નામે ઠગાઈ કરતી આ ટોળકીના કારણે હાઇકોર્ટમાં જજની સામે એક દંપતીએ આપઘાતનું પ્રયાસ કર્યો હતો જેને લઇને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નવરંગપુરાના નીતિનભાઈ રાજગુરુ અને ચાંદલોડિયા ના હાર્દિક પટેલ દ્વારા બે ફરિયાદ અત્યાર સુધીમાં નોંધાઇ છે. જ્યારે વધુ એક વેપારીએ પણ આ છેતરપિંડી મામલે આર્થિક ગુના નિવારણ શાખાને રજૂઆત કરી છે.

છેલ્લા ઘણા સમયથી કલર મર્ચન્ટ બેંકના અધિકારીઓ દ્વારા આ પ્રકારે ઠગાઈનું નેટવર્ક ચાલી રહ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં EOWએ આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરાવામાં આવી છે.

આ પણ વાંચો : બદનક્ષીના કેસમાં દિલ્લી CM કેજરીવાલ અને MP સંજયસિંહ સામે ગુજરાત હાઈકોર્ટમાં આજે થઈ શકે છે સુનાવણી

આર્થીક ગુના નિવારણ શાખા દ્વારા આ કૌભાંડને લઈને અલગ અલગ 6 ટીમો બનાવીને તપાસ શરૂ કરી. આરોપીઓના ઘર તથા ઓફિસમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ગુના સંબંધીત જરૂરી દસ્તાવેજો ઠરાવો અને અલગ અલગ પેઢીના સ્ટેમ્પ તેમજ આરોપીઓના અન્ય બેન્કોમાં રહેલા બેન્ક એકાઉન્ટ ની વિગત તથા શંકાસ્પદ ચેકો કબજે કરવામાં આવ્યા છે. EOW એ આ ઠગ ટોળકીનો ભોગ બનેલી વ્યક્તિને ફરિયાદ માટે સંપર્ક કરવાની પણ અપીલ કતી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">