AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખી શાળાનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું. જેમાં એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામ આપવામાં આવ્યું છે.

Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું
Ahmedabad
Darshal Raval
| Edited By: | Updated on: Aug 18, 2021 | 1:14 PM
Share

દેશ માટે શહીદી વોરનાર જવાનનું ઋણ ભૂલી ન શકાય અને તેમના માટે આપણે કરીએ તેટલું પણ ઓછું પડે. ત્યારે આવા શહીદ વીર જવાનોના સન્માન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહ્યું છે. જેમ તાજેતરમાં સરકારને કરાયેલી રજુઆતમાં રિવર ફ્રન્ટ (Riverfront) પર શહીદ સ્મારક પાર્ક બનાવવાની જાહેરાત કરાઈ. તો એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર નિલેશ સોની નામ અપાતા જવાનના પરિવારે ગર્વ અનુભવ્યો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખી શાળાનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું. જેમાં એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામ આપવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં શહીદ જવાનના પરિવાર અને મેયર, ધારાસભ્ય, સાંસદ કિરીટ સોલંકી સહિત સ્કૂલ બોર્ડ સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તો સાથે જ આગામી સમયમાં અન્ય શાળાઓના નામ શહીદ જવાનના નામ પર પડી શકે છે, તેવા આયોજન પણ ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરમાં 7 શાળાને શહીદ જવાનના નામ આપવામા આવી ચુક્યા છે. ત્યારે એલિસબ્રિજ શાળાના નામાભિકરણ સાથે શહેરમાં 8 શાળાના નામ શહીદ જવાન પર પડ્યા છે. જે નામાભિકરણ થતા જવાનના પરિવારે ગર્વ અનુભવ્યો અને તેમાં પણ પહેલા રિવર ફ્રન્ટ પર શહીદ સ્મારક પાર્ક બનવાની જાહેરાત અને હવે શાળા પર જવાનનું નામ આવતા કેપ્ટન નિલેશ સોનીના પરિવારે ગર્વનું અનુભૂતિ કરી હતી.

તો સાથે જ આ નામથી લોકોમાં દેશભક્તિ વિશે જાણવાની ઈચ્છા થશે તેવું સાંસદ અને શહીદ જવાનના પરિવારનું પણ માનવું છે.

કઈ કઈ શાળાને ક્યાં નામ અપાયા

1. બાપૂનગર 13 શાળાને શ્રી ઋષિકેશ રામાણી શાળા નામ આપ્યું.

2. અસારવા શાળા નંબર 11 ને વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા નામ આપ્યું.

3. એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર નિલેશ સોની નામ આપ્યું.

4. વાડજ ગુજરાતી શાળા નંબર 1 ને શહીદ મુકેશ પરમાર નામ આપ્યું.

અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પ્રોજેકટ ફેઝ-2 ની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં શહીદ પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના MOU થયા છે.

કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્ક બનાવવામાં આવશે. રિવરફ્રન્ટના Dy.MC ના જણાવ્યા પ્રમાણે જમીન રિકલેમ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જ્યાં શહીદ સ્મારક પાર્ક, સ્પોર્ટ્સ સંકુલ અને આર્મી માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat : કોરોનાના વળતા પાણી, વૅક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર

આ પણ વાંચો : Gujarat : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">