AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીના આપઘાતનો કેસ, પોલીસે 2 વ્યાજખોરની કરી ધરપકડ

રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે. આ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો.

Ahmedabad: વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીના આપઘાતનો કેસ, પોલીસે 2 વ્યાજખોરની કરી ધરપકડ
ફોટો - આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:39 PM
Share

Ahmedabad: રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે. આ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો. કોણ છે આ કુખ્યાત વ્યાજખોર જોઈએ આ અહેવાલમાં.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા છે. આ વ્યાજખોરના ત્રાસથી પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો. મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનનો ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરમાં આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા તેમજ અનિલ પટેલના ત્રાસથી આપઘાત કર્યો. તપાસમાં સામે આવ્યું કે, નિકુંજ પંચાલે ધધાના અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. જેમાં રાકેશ નાયક ફાયનાન્સ લાયસન્સ વગર વ્યાજે પૈસા ચૂકવ્યા હતા.

જ્યારે દેવાંગ સથવારા રી કવરી એજન્ટ બનીને પૈસાની ઉઘરાણી કરવા જતો હતો. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કર્યો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ આપઘાત કર્યો. પઘાત કેસમાં અગાઉ અનિલ પટેલની ધરપકડ બાદ આજે 2 વ્યાજખોર ની પણ ધરપકડ કરાઈ છે.

પકડાયેલા આરોપીની તપાસમાં રાકેશ નાયકને મિલકત પર 1 ટકા અને મિલકત વગર દોઢ ટકા વ્યાજ પર લેવાનું લાયસન્સ 2021માં મેળવ્યું. પરંતુ નિકુંજ ભાઈને લાયસન્સ નહતું ત્યારે 4 ટકા ના વ્યાજે રૂ 10 લાખ આપ્યા હતા અને પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો. જે બાદ વેપારી સમયસર વ્યાજ અને મુડીની રકમ ચુકવતા હતા. વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દિધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો, સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.

આ ઉપરાંત દેવાંગ સથવારા રી કવરી એજન્ટ બનીને પઠાણી ઉઘરાણી કરવા ઘરે જતો હતો. જેથી આ દંપતી પાસે આપઘાત સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહતો. આ કેસમાં પોલીસે મહત્વના દસ્તાવેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી. રાણીપ પોલીસે નિકુંજ પચાલને 15 લાખ રૂપિયા પરત નહિ કરનાર અનુપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે આજે બે વ્યાજખોરની ધરપકડ કરીને આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં રાણીપ પોલીસે આ વ્યાજખોર અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા કે નહીં તે મુદ્દે તપાસ કરી રહ્યા છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">