AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીના આપઘાતનો કેસ, પોલીસે 2 વ્યાજખોરની કરી ધરપકડ

રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે. આ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો.

Ahmedabad: વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના ત્રાસથી દંપતીના આપઘાતનો કેસ, પોલીસે 2 વ્યાજખોરની કરી ધરપકડ
ફોટો - આરોપી
Mihir Soni
| Edited By: | Updated on: Sep 01, 2022 | 4:39 PM
Share

Ahmedabad: રાણીપમાં વ્યાજખોરના ત્રાસથી દંપતીના આપઘાત કેસમાં પોલીસે 2 વ્યાજખોરની ધરપકડ કરી છે. આ વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો. કોણ છે આ કુખ્યાત વ્યાજખોર જોઈએ આ અહેવાલમાં.પોલીસ કસ્ટડીમાં જોવા મળતા વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા છે. આ વ્યાજખોરના ત્રાસથી પંચાલ દંપતીએ આપઘાત કર્યો હતો. મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનનો ધંધો કરતા નિકુંજ પંચાલ પોતાના ઘરમાં આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોર રાકેશ નાયક અને દેવાંગ સથવારા તેમજ અનિલ પટેલના ત્રાસથી આપઘાત કર્યો. તપાસમાં સામે આવ્યું કે, નિકુંજ પંચાલે ધધાના અર્થે રાકેશ નાયક અને દેવાંગ સથવારા પાસેથી રૂ 10 લાખ 4 ટકાના વ્યાજે લીધા હતા. 10 લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજના 8 લાખની પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપતા હતા. જેમાં રાકેશ નાયક ફાયનાન્સ લાયસન્સ વગર વ્યાજે પૈસા ચૂકવ્યા હતા.

જ્યારે દેવાંગ સથવારા રી કવરી એજન્ટ બનીને પૈસાની ઉઘરાણી કરવા જતો હતો. વ્યાજખોરના ત્રાસથી કંટાળીને નિકુંજભાઈના પત્નિ શ્વેતાબેન 2 જુનના રોજ આપઘાત કર્યો. પરંતુ તેમ છતાં આ બંને વ્યાજખોર પૈસાની ઉઘરાણી કરવા ઘરે આવતા હતા. જેથી કંટાળીને નિકુંજ ભાઈએ પણ આપઘાત કર્યો. પઘાત કેસમાં અગાઉ અનિલ પટેલની ધરપકડ બાદ આજે 2 વ્યાજખોર ની પણ ધરપકડ કરાઈ છે.

પકડાયેલા આરોપીની તપાસમાં રાકેશ નાયકને મિલકત પર 1 ટકા અને મિલકત વગર દોઢ ટકા વ્યાજ પર લેવાનું લાયસન્સ 2021માં મેળવ્યું. પરંતુ નિકુંજ ભાઈને લાયસન્સ નહતું ત્યારે 4 ટકા ના વ્યાજે રૂ 10 લાખ આપ્યા હતા અને પૈસાના અવેજ પેટે વેપારીએ કોરા ચેક અને પ્રોમીસરી નોટ અને માતાની માલિકીના મકાનનો સમજુતી કરાર પણ કરી આપ્યો હતો. જે બાદ વેપારી સમયસર વ્યાજ અને મુડીની રકમ ચુકવતા હતા. વ્યાજે લીધેલી 10 લાખ રકમ અને વ્યાજ વેપારી નિકુંજ પંચાલે ચુકવી દિધા છતાં રાકેશ નાયક અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો, સાથે જ વેપારીએ આપેલ પ્રોમીસરી નોટ અને ચેક પરત ન આપી ચેકમાં મનફાવે તેવી રકમ ભરી વટાવી ચેક બાઉન્સ થતા 138 મુજબના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો.

આ ઉપરાંત દેવાંગ સથવારા રી કવરી એજન્ટ બનીને પઠાણી ઉઘરાણી કરવા ઘરે જતો હતો. જેથી આ દંપતી પાસે આપઘાત સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહતો. આ કેસમાં પોલીસે મહત્વના દસ્તાવેજ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી. રાણીપ પોલીસે નિકુંજ પચાલને 15 લાખ રૂપિયા પરત નહિ કરનાર અનુપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે આજે બે વ્યાજખોરની ધરપકડ કરીને આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં રાણીપ પોલીસે આ વ્યાજખોર અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા કે નહીં તે મુદ્દે તપાસ કરી રહ્યા છે.

બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
બેંગકોક જઈ રહેલા મુસાફર પાસેથી ઝડપાયું 42 લાખનુ વિદેશી ચલણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
g clip-path="url(#clip0_868_265)">