Ahmedabad: 2007થી શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાના 16 વર્ષ પૂર્ણ, દોઢ કરોડ કૉલ એટેન્ડ કરી મેડિકલ સેવા પુરી પાડી

Ahmedabad: ગુજરાત રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતું નામ હોય તો તે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ છે.જેનો 29 મી ઓગસ્ટનો તે ઐતિહાસિક દિવસ કે જ્યારે 108 સેવાનો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમવાર શુભારંભ થયો હતો. જેણે આપત્તિનાં સમયમાં લાખો લોકોનાં જીવન બચાવનાર અને જીવાદોરી સમાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને આજે 29 મી ઓગસ્ટના રોજ સફળતાપૂર્વક 16 વર્ષ પૂર્ણ થયા છે.

Ahmedabad: 2007થી શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાના 16 વર્ષ પૂર્ણ,  દોઢ કરોડ કૉલ એટેન્ડ કરી મેડિકલ સેવા પુરી પાડી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 29, 2023 | 10:37 PM

Ahmedabad: ગુજરાતની લાઈફલાઈન 108 ઈમરજન્સી સેવાને ગુજરાતમાં 29 ઓગસ્ટ 2007 ના રોજ શરૂ કરવામાં આવી હતી.108 યોજનાનું લોકાર્પણ હાલના વડાપ્રધા અને ત્યારના તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યુ હતું.  ત્યારે 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ કરાયેલ 108 ઇમરજન્સી સેવામાં હાલ 800 ઉપર એમ્બ્યુલન્સ કાર્યરત છે. બે બોટ એમ્બ્યુલન્સ  એક એર એમ્બ્યુલન્સ સાથે 4 હજાર જેટલો સ્ટાફ 24 કલાક કામ કરે છે.

રાજ્યના નાગરિકોના આરોગ્યના હિત માટે વર્ષ 2007 માં ઈમરજન્સી તાકીદની સ્થિતમાં જરૂરિયાતમંદ, ગંભીર, બીમાર કે ઇજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ પરિવહનની સુવિધા પૂરી પાડવા અને તમામ પ્રકારની મેડિકલ ઈમરજન્સી જેવી કે હદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્‍માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના” અમલી કરી હતી.

વર્ષ 2007 થી મેડિકલ, પોલીસ અને ફાયર સંબંધિત કટોકટીઓ માટે લોકોને 108 ટોલ ફ્રી નંબર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ 24X7 પ્રદાન કરવાના હેતુથી રાજ્યકક્ષાના અધ્યતન ટેક્નોલૉજી સભર સ્ટેટ-ઓફ-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમદાવાદના નરોડા કઠવાડા ખાતે 15 એકરના વિસ્તારમાં પ્રસ્થાપિત કરીને ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવા અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવેલ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

108 સેવાની વધતી લોકપ્રિયતા, વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સ ના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અધ્યતન ટ્રેનીંગ સેન્ટર, રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવેલ છે.

ગુજરાતની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની આગવી વિશેષતા

  1.  એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે.
  2. રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS) થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે
  3. 108 એમ્બ્યુલન્સ સેવા 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ રયારે દરરોજ 2 કૉલ એક એમ્બ્યુલન્સને મળતા. જે બાદ રિસ્પોન્સ વધ્યો લોકો જાગૃત બન્યા અને 2009 માં 400 એમ્બ્યુલન્સ ગુજરા કવર કરતી થઈ અને હાલ 800 ઉપર એમ્બ્યુન્સ દ્વારા દરરોજ સરેરાશ 3700 થી 3900 જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે.
  4.  108 નંબર પર આવેલા 99% જેટલા ફોન કોલ પ્રથમ બે રીંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે.
  5. 108 એમ્બ્યુલન્સનો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં 11 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે.
  6. દર 23 સેકન્ડે એક 108એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના કરવામાં આવે છે.
  7.  1 કરોડ 51 લાખ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, 2.51 લાખથી વધુ પોલીસ અને 6.2 હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે. 47.9 કરોડથી વધારે એમ્બ્યુલન્સના કિલોમીટરનું સંચાલન કરવામાં આવેલ છે.
  8.  14 લાખથી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓનો બચાવ કરવામાં આવેલ છે.
  9.  51.27 લાખ કરતાં વધારે પ્રસૂતા માતાને કટોકટીની સ્થિતીમા મદદ કરવામાં આવેલ છે.
  10.  108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 1.32.355 થી વધુ ઘટના સ્થળે પ્રસૂતિઓમાં મદદ કરવામાં આવેલ છે.
  11.  108 સેવા માટે આવતા કોલ્સ પૈકી મોટાભાગના કોલ્સ પ્રસુતા માતાઓ માટે ઈમરજન્સી સેવાને લગતા હોય છે, ગુજરાત રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદરના સૂચકઆંકને લગતા સરકારના લક્ષયાંકોને સિદ્ધ કરવામાં 108 સેવાનો મહત્વનો ફાળો રહેલ છે.
  12. 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ઝડપી સેવા માટે અદ્યતન લોકોપયોગી “ 108 સીટીઝન મોબાઇલ એપ્લીકેશન ” શરૂ કરવામાં આવેલ છે. જેને 3 લાખ કરતા પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલ છે.
  13.  દરીયામાં કામ કરતા માછીમારોના આરોગ્યના અધિકારોની જાળવણી માટે દરીયામાં 108-એમ્બ્યુલન્સ જેવી મેડિકલ સેવા પહોંચાડવા માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે.
  14. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સેવા ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ, GUJSAIL અને EMRI GHS સાથે મળી સંકલિત રીતે રાજ્ય વ્યાપી તા:૨૧/૦૩/૨૦૨૨થી કાર્યાન્વિત કરેલ છે. આ સેવા હેઠળ કુલ 37 જેટલા ઓર્ગન અને તેમજ ગંભીર દર્દીઓના પરિવહન કરેલ છે.
  15. ગુજરાત સરકારે સમયાનુકુલ ટેકનોલોજી અને અપગ્રેડેશનનો વિનિયોગ કરીને આપાતકાલમાં પ્રત્યેક સેકન્ડનો બચાવ થઈ શકે અને માનવીની અમૂલ્ય જીન્દગી બચાવવા ભારત દેશમાં સૌ પ્રથમ વખત પેપરલેશ 108 ઇમરજન્સી સેવા અને એમ ગવર્નસની વ્યવસ્થા અમલીકૃત કરી છે.

મહામૂલી માનવ જિંદગી બચાવી શકાય તેવા ઉમદા હેતુઓથી પ્રિ-હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલ પહોચવા માટે “108 એમ્બ્યુલન્સ સેવા” રૂપી યોજના થકી લાભ આપવા રાજ્ય સરકાર હંમેશા કટિબધ્ધ છે.

108 ઇમર્જન્સીના COO શવંત પ્રજાપતિએ જણાવ્યું કે 108 ઈમરજન્સી સેવાની ટીમ ૨૪x૭ ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. રાજયમાં 107 ઇમર્જન્સી સેવા 29 ઓગસ્ટ 2007 થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે. રાજ્યની 108 સેવાને આજે સફળતા પૂર્વક અવિરત સેવાના ૧૬ વર્ષ પૂર્ણ થયેલ છે, 108 સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરેલ છે. અને છેલ્લા 16 વર્ષમાં 1 કરોડ 51 લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધેલ છે.

જેમાં સૌથી વધુ ગર્ભવતી મહિલામાં 51 લાખ કેસ જ્યારે અકસ્માતના 18 લાખ કેસ એટેન્ડ કરાયા છે. રાજ્યની 108 સેવા કોઈપણ ઇમરજ્ન્સી કે જે સ્વાસ્થ્ય સંબંધીત, ગુના સંબંધીત, કે આગ સંબંધીત હોય તો મદદ મેળવવા 108 ને ચોક્ક્સ પણે ફોન કરવા જણાવેલ.

108 સેવા ગુજરાતમાં શરૂ કરવા અને સતત સહયોગ બદલ ગુજરાત રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ અને રાજ્યના લોકોએ સભાનતા અને જવાબદારી પૂર્વક આ સેવાનો જરૂરિયાતના સમયે બહોળા ઉપયોગ કરવા બદલ અભિનંદન પાઠવેલ.”વર્ષ 2007 માં માત્ર ૧૪ એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી સેવા આજે 16 વર્ષ જેટલા સમયગાળામાં 802 એમ્બ્યુલન્સ ( 2 બોટ એમ્બ્યુલન્સ) સુધી પહોંચી છે.

આ પણ વાંચો: ઇથેનોલ શું છે? પેટ્રોલના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ કરવા પર કેમ ભાર મૂકવામાં આવી રહ્યો છે?

ઉલ્લેખનીય છે કે આપાતકાલીન પરિસ્થિતિમાં 108 ઈમરજન્સી સેવા દ્વારા ઘણી મહત્વપૂર્ણ કામગીરી બજાવવામાં આવી છે. તે પછી બીપરજોય વાવાઝોડાની વાત હોય, મોરબી પુલ દૂર ઘટનાની વાત હોય, બાવળા બગોદરા રોડ પર અકસ્માતની વાત હોય, ભારે વરસાદની પરિસ્થિતિની વાત હોય કે પછી અન્ય કોઈપણ ફૂડ પોઝિશનિંગ કે અકસ્માતોની ઘટનાની વાત હોય. કે જેમાં 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ તેમના વાહન અને સાધન સાથે ત્વરિત કામગીરી કરીને લોકોના જીવ બચાવ્યા છે.

જોકે કેટલાક કેસોમાં લોકોના મોત ભેટવા ની ઘટનામાં 108 ઈમરજન્સી દ્વારા દુઃખ પણ વ્યક્ત કર્યા છે. તેમજ લોકોમાં 108 ઈમરજન્સી સેવા ની કામગીરીથી લોકોના જીવ કઈ રીતે ઝડપી બચાવી શકાય તેની જાગૃતિ આવે, તેમ જ લોકો પણ તે બાબતે જાગૃત બને તેના માટે માહિતગાર થવા પણ અપીલ કરી હતી. જેથી 108 ઈમરજન્સી સેવા તેની કામગીરી વધુ સારી રીતે કરીને વધુ લોકોના જીવ બચાવી લોકોને સુરક્ષિત કરી શકે.

 અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">