મોરબી દુર્ઘટનાને લઈ અમદાવાદના ટાગોર હોલમાં શોકસભા યોજાઈ. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદો અને ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને શોક વ્યક્ત કર્યો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. રાજ્યવ્યાપી શોકને પગલે અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની ઓફિસોમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ પણ રદ્દ કરવામાં આવેલા છે. બીજીતરફ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
A prayer meeting called for those who lost their lives in the #MorbiBridgeCollapse at the Tagore Hall, #Ahmedabad #TV9News pic.twitter.com/59ttJGs0vv
— Tv9 Gujarati (@tv9gujarati) November 2, 2022
મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. PM મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા છે. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી PM મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યુ છે.
135 લોકોને ભરખી જનાર મોરબીના ગોઝારા ઘટનાસ્થળની PM મોદીએ પુલનુ નિરિક્ષણ કર્યું હતુ. તે દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. અને મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી.