દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 7 વર્ષથી ધમધમી રહ્યો હતો ગોરખધંધો

દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટમાં રાજસ્વી ફેકટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 276 થેલીઓ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો.

દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 7 વર્ષથી ધમધમી રહ્યો હતો ગોરખધંધો
A chemical manufacturing scam using illegal Urea fertilizer was caught in Danilimda
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:10 AM

Ahmedabad: દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરનો (Urea fertilizer) ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તો આ મામલે કેમિકલ (Chemical manufacturer) બનાવીને બીજા રાજ્યોમાં વેંચતા હોવાનો પર્દાફાશ થયો છે. તેમજ પોલિસે ફેક્ટરીના માલિકની શોધખોળ શરૂ કરી.

વિગતે વાત કરીએ તો દાણીલીમડામાં પ્રભુદાસ એસ્ટેટમાં રાજસ્વી ફેકટરીમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરીને કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે બાતમીના આધારે રેડ કરતા 276 થેલીઓ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો. આ જથ્થો ગેરકાયદેસર રાખેલો હોવાથી પોલીસે ફેકટરીના મેનેજર જયેશ સોલંકીની ધરપકડ કરી. જ્યારે ફેક્ટરીના માલીક પુષ્પરાજ રાજસ્વીની શોધખોળ શરૂ કરી છે. આરોપી યુરિયા ખાતરથી કેમિકલ બનાવીને બીજા રાજ્યોમાં દોરી બનાવવાની ફેકટરીમાં વેંચતા હતા.

આ કેમિકલનો ઉપયોગ દોરીને મજબૂત બનાવવા થાય છે. જેમા યુરિયા ખાતર, એકીલા માઇડ કલર, અને રિયાઝ સાઇઝર પીએફ નામનું કેમિકલ ભેળવીને કેમિકલ બનાવીને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. તો આરોપીઓ રાધનપુરથી યુરિયા ખાતરનો જથ્થો લાવતા હોવાનું પણ ખુલ્યું. છેલ્લા 7 વર્ષથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો લાવીને કેમિકલ બનાવીને જુદા જુદા રાજ્યોમાં કેમિકલ સપ્લાય કરતા હોવાનો ખુલાસો થયો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સબસીડી યુરિયા ખાતરનો ગેરકાયદેસર ઉપયોગ કરવાને લઈને દાણીલીમડા પોલીસે ગુનો નોંધી જયેશ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને મુખ્ય સુત્રધાર ફેકટરીનો માલિક પુષ્પરાજ રાજસ્વી ફરાર છે. જેની ધરપકડને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી. સાથે જ રાધનપુરમાંથી યુરિયા ખાતર કોની પાસેથી લાવતા હતા. ઉપરાંત અન્ય કેટલા આરોપીની સંડોવણી છે તે તમામ મુદ્દે પોલીસ વધુ તપાસ શરૂ કરી.

આ પણ વાંચો: સુશાસન સપ્તાહના પ્રારંભમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી ભેટ, આ નિયમો બદલીને જનહિત નિર્ણયોની કરી જાહેરાત

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 26 ડિસેમ્બર: વેપારની દૃષ્ટિએ સમય અનુકૂળ, બજારમાં તમારી છબી અને પ્રતિષ્ઠામાં વધારો થશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 26 ડિસેમ્બર: જો લોન લેવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર લેવાનું ટાળો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">