અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં દુષ્કર્મ પીડિતાએ આપઘાત કરી લીધો છે. પીડિતા સગીરા હતી અને તેણે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે. આપઘાત કરનારી પીડિત સગીરા ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને તેની સાથે અભ્યાસ કરતા કુબેરનગરના એક વિદ્યાર્થીએ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું અને તેનો અશ્લીલ વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સગીરાને જીવન દોઝખ લાગવા માંડ્યું અને પોતે જ ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવી દીધો. ઘટના બાદ છારાનગર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થિતિને જોતા આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે જ્યારે સગીરા આ વિદ્યાર્થી મિત્રના અન્ય મિત્રના કાકાની દુકાને કોઈ સામાન લેવાય જાય ત્યારે ત્યાં અન્ય મિત્રો સગીરાનો પીછો કરતા હતા અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધવા હાથ પકડતા અને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને શરીરસંબંધ બાધવાની માંગણી કરતા હતા.
સગીરા મનાઈ કરતી હતી જેથી આ મિત્રોએ ભેગા મળી તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જો કે સગીરાએ આ વિદ્યાર્થીના જ ત્રણ મિત્રો સાથે શરીરસંબંધ બાંધવાનો ઈનકાર કરતા લગભગ 10 જેટલા વીડિયો વાયરલ કરી દીધા હતા. સરદારનગર પોલીસે પોક્સો અને આઈટી એક્ટ મુજબ બે અલગ અલગ ફરિયાદ નોંધી એક આરોપીની ધરપકડ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસથી નારાજ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાય તેવી શક્યતા
Published On - 6:53 am, Tue, 10 March 20