અમદાવાદમાં મેટ્રો દ્વારા અસરગ્રસ્તોને પ્લોટ આપવા મુદ્દે અસરગ્રસ્તોને પ્લોટ ન મળતા રોષની લાગણી, રોષે ભરાયેલા દુકાનદારોએ મેટ્રો સ્ટેશનની કામગીરી અટકાવતા, મેટ્રો ઓથોરિટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયુ

|

Sep 19, 2020 | 1:12 PM

અમદાવાદમાં મેટ્રો દ્વારા અસરગ્રસ્તોને પ્લોટ આપવાના મામલે અસરગ્રસ્તોને પ્લોટ ન મળતા રોષની લાગણી ફેલાઇ છે. વર્ષ 2019નાં જુલાઈ મહિનાથી પ્લોટ પણ નથી આપ્યા અને ભાડુ પણ નહી આપતા રોષે ભરાયેલા દુકાનદારોએ મેટ્રોની કામગીરી અટકાવી દીધી હતી. જો કે મેટ્રો ઓથોરિટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ફરી કામ શરૂ કરવામાં આવ્યું હતું. જણાવવું રહ્યું કે વસ્ત્રાલ મહાદેવનગરમાં […]

અમદાવાદમાં મેટ્રો દ્વારા અસરગ્રસ્તોને પ્લોટ આપવા મુદ્દે અસરગ્રસ્તોને પ્લોટ ન મળતા રોષની લાગણી, રોષે ભરાયેલા દુકાનદારોએ મેટ્રો સ્ટેશનની કામગીરી અટકાવતા, મેટ્રો ઓથોરિટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયુ
અમદાવાદમાં મેટ્રો દ્વારા અસરગ્રસ્તોને પ્લોટ આપવા મુદ્દે અસરગ્રસ્તોને પ્લોટ ન મળતા રોષની લાગણી,રોષે ભરાયેલા દુકાનદારોએ મેટ્રો સ્ટેશનની કામગીરી અટકાવતા, મેટ્રો ઓથોરિટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરાયુ

Follow us on

અમદાવાદમાં મેટ્રો દ્વારા અસરગ્રસ્તોને પ્લોટ આપવાના મામલે અસરગ્રસ્તોને પ્લોટ ન મળતા રોષની લાગણી ફેલાઇ છે. વર્ષ 2019નાં જુલાઈ મહિનાથી પ્લોટ પણ નથી આપ્યા અને ભાડુ પણ નહી આપતા રોષે ભરાયેલા દુકાનદારોએ મેટ્રોની કામગીરી અટકાવી દીધી હતી. જો કે મેટ્રો ઓથોરિટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ફરી કામ શરૂ કરવામાં આવ્યું હતું. જણાવવું રહ્યું કે વસ્ત્રાલ મહાદેવનગરમાં 56 દુકાનો કપાતમાં ગઇ હતી અને મેટ્રો ઓથોરિટી દ્વારા દુકાન સામે પ્લોટ આપવાની બાહેંધરી આપી હતી અને પ્લોટ ન ફળવાય ત્યાં સુધી 650 રૂપિયા પ્રતિ ચોરસ મીટરે ભાડું આપવાનું નક્કી કરાયું હતું સાથે જ 2018માં એક મહિનામાં એસપી રિંગ રોડ ઉપર પ્લોટ આપવાની વાત કરી હતી સાથે જ તેમણે માંગ પણ કરી છે કે લેખિતમાં જે ભાડું ચૂકવવાનું નક્કી કરાયું હતું તે ભાડું ચુકવવામાં આવે અને સાથે જ પ્લોટ ફાળવણી માટે તમામ સભ્યોની હાજરીમાં ડ્રો થાય તેવી માગણી પણ દુકાનદારો દ્વારા કરવામાં આવી છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 1:11 pm, Sat, 19 September 20

Next Article