અમદાવાદ : દિવાળી અને નૂતન વર્ષના પર્વમાં ઇમરજન્સી કેસોમાં વધારો, 108 સેવા સતત રહી કાર્યરત

|

Nov 06, 2021 | 9:45 PM

તહેવારોમા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પ્રયાણના કારણે શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર ભાવનગર ,છોટા ઉદેપુર,જુનાગઢ ,નવસારી ,સુરત સહિતના વિસ્તારમાં ઇમરજન્સી કેસોની સંખ્યા વધે છે. ત્યારે તહેવારના ઉત્સાહમા સાવચેતી રાખવી પણ જરૂરી છે.

અમદાવાદ  : દિવાળી અને નૂતન વર્ષના પર્વમાં ઇમરજન્સી કેસોમાં વધારો, 108 સેવા સતત રહી કાર્યરત
Ahmedabad: Increase in emergency cases during Diwali and New Year

Follow us on

દિવાળીનો પર્વ સમગ્ર ગુજરાતમા ઉજવાઇ રહ્યો છે. ત્યારે આ તહેવારના સમયમાં ઇમરજન્સી કેસોમાં પણ વધારો થયો છે. દિવાળીએ 108માં ઇમરજન્સી કેસોમાં 0.99 ટકા અને બેસતા વર્ષે ઇમરજન્સી કેસોમાં 20 ટકાનો વધારો થયો છે.

દિવાળીના અને નવા વર્ષના પર્વને લોકો હર્ષ ઉલાલસથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ તહેવારના સમયમાં રાજ્યમાં ઇમરજન્સી કેસોમાં વધારો થતો હોય છે. 108 ઇમરજન્સી હેલ્પલાઈનમાં સામાન્ય દિવસોમાં 2500 જેટલા કોલ્સ આવતા હોય છે. જે દિવાળીના દિવસે આ વર્ષે 3581 જ્યારે બેસતા વર્ષના દિવસે 4307 ઇમરજન્સી કેસ નોંધાયા છે. જે ગત વર્ષની સરખામણીએ 17 ટકા વધ્યા છે.

દિવાળીના દિવસે ફટાકડા ફોડવાના કારણે દાઝી જવાના, તેમજ નવા વર્ષે શહેરી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકો ગામડા તરફ જાય છે. જેના કારણે અકસ્માતના અને શારીરિક હુમલાના બનાવો વધી જતાં હોય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આંકડા પર નજર કરીએ તો

દિવાળી અને બેસતા વર્ષે રાજ્યમાં અકસ્માતના 1700 બનાવ બન્યા

2 દિવસ દરમ્યાન શારીરિક હુમલાના 419 બનાવ બન્યા.

ફટાકડા ફોડવાના કારણે દાઝી જવાના 36 જેટલા બનાવો બન્યા.

અકસ્માતના બનાવો પણ ટુ વહીલર અને ફોર વહીલરના બનાવો સૌથી વધુ બન્યા છે. 2 વહીલર અકસ્માતના 1400 જ્યારે ફોર વહીલર અકસ્માતના 160 બનાવ બન્યા છે. આ તમામ બનાવોને પહોંચી વળવા રાજ્યભરમાં 800 એબ્યુલન્સ કર્યારત કરાઈ છે.

તહેવારોમા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના પ્રયાણના કારણે શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર ભાવનગર ,છોટા ઉદેપુર,જુનાગઢ ,નવસારી ,સુરત સહિતના વિસ્તારમાં ઇમરજન્સી કેસોની સંખ્યા વધે છે. ત્યારે તહેવારના ઉત્સાહમા સાવચેતી રાખવી પણ જરૂરી છે.

દિવાળી અને નૂતન વર્ષના દિવસે ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે. દિવાળીના દિવસે 36.61 ટકા અને નૂતન વર્ષના દિવસે 78.31 ટકા જેટલો વધારો નોંધાયો છે. ટ્રોમા નોન વિહીક્યુલરના કેસોમાં પણ મારામારીના કેસોમાં 93.95 ટકા જેટલો દિવાળીમાં અને 142.71 ટકા જેટલો નૂતન વર્ષના દિવસે વધારો નોંધાયો છે.

જ્યારે પડી જવાથી વાગવાના કેસોમાં દિવાળી પર 11.85 ટકા અને નૂતન વર્ષના દિવસે 45.93 ટકા જેટલો વધારો નોંધાયો છે. દિવાળી અને નૂતન વર્ષના દિવસોએ દાઝી જવાના 36 જેટલા કેસો નોંધાયા, જે દિવાળી પર 185.71 અને નૂતન વર્ષના દિવસે 128.75 જેટલો વધારો સૂચવે છે.

આ પણ વાંચો : પર્યટકો માટે ખુશ ખબર: AMC નો મોટો નિર્ણય, દિવાળી વેકેશનમાં આ તારીખે પણ ખુલ્લું રહેશે કાંકરિયા

 

Next Article