અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે એક કારચાલકે ફૂટપાથ પાસે સુઈ ગયેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યુવક પોતાની કાર પાર્ક કરવા જતાં વૃદ્ધનો ભોગ લેવાયો છે. જો કે વૃદ્ધ પર કાર ચડાવ્યાં બાદ કારચાલક કાર મુકીને ત્યાંથી ફરાર થયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અકસ્માતમાં મૃત્યુ પામનાર સુખલાલ બાવરિયા મૂળ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે અને તેઓ એસ.જી. હાઈવે પર રમકડાં વેચીને ગુજરાન ચલાવી દીકરાની સાથે ફૂટપાથ પર રહેતા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફરાર કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
[yop_poll id=”1″]
Published On - 4:03 am, Sat, 20 July 19